________________
તત્વાધિગમ સૂત્ર
અધ્યાય - ૧
सूत्रम्- मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु ॥१-२७॥ અર્થ- અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વ્યાપાર સર્વદ્રવ્યોમાં (અને કેટલાક પર્યાયોમાં હોય છે.
भाष्यम्- मतिज्ञानश्रुतज्ञानयोर्विषयनिबन्धो भवति सर्वद्रव्येष्वसर्वपर्यायेषु, ताभ्यां हि सर्वाणि द्रव्याणि जानीते, न तु सर्वैः पर्यायैः ॥२७॥
અર્થ- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષયવ્યાપાર સર્વદ્રવ્યોમાં અને સર્વ કેટલાક) પર્યાયોમાં હોય છે. તે બે વડે (મતિથ્થત વડે) સર્વદ્રવ્યો જાણે છે, પરતું સર્વપર્યા નહિ. [સર્વ પર્યાયો પૂર્વક સર્વદ્રવ્યો ન જાણી શકે.] રણા
સૂત્રમ્- વિશ્વવયે ૨-૨૮ અર્થ- અવધિજ્ઞાનનો વ્યાપાર રૂપી દ્રવ્યોમાં હોય છે.
भाष्यम्- रूपिष्वेव द्रव्येष्ववधिज्ञानस्य विषयनिबन्धो भवति असर्वपर्यायेषु, सुविशुद्धेनाप्यवधिज्ञानेन रूपीण्येव द्रव्याण्यवधिज्ञानी जानीते, तान्यपि न सर्वैः पर्यायैरिति ॥२८॥ અર્થ- અવધિજ્ઞાનનો વિષય-વ્યાપાર રૂપી દ્રવ્યોમાં જ અને કેટલાક પર્યાયોમાં હોય છે. અત્યંત વિશુદ્ધ અવધિજ્ઞાન વડે (પણ) રૂપી દ્રવ્યો જ અવધિજ્ઞાની જાણે અને તે (રૂપી દ્રવ્યો) પણ સર્વપર્યાય સહિત ન જાણે. રા.
सूत्रम्- तदनन्तभागे मनःपर्यायस्य ॥१-२९।। અર્થ- મન:પર્યાયજ્ઞાનનો (વિષય વ્યાપાર) અવધિજ્ઞાન કરતા અનંતમા ભાગમાં હોય છે.
भाष्यम्- यानि रूपीणि द्रव्याण्यवधिज्ञानी जानीते ततोऽनन्तभागे मनःपर्यायस्य विषयनिबन्धो भवति, अवधिज्ञानविषयस्यानन्तभागं मनःपर्यायज्ञानी जानीते, रूपिद्रव्याणि मनोरहस्यविचारगतानि च मानुषक्षेत्रपर्यापन्नानि विशुद्धतराणि चेति ॥२९॥ અર્થ- જે રૂપિ દ્રવ્યો અવધિજ્ઞાની જાણે છે તેના કરતાં અનન્તમ ભાગમાં મન:પર્યાયજ્ઞાનનો વિષય વ્યાપાર હોય છે. અવધિજ્ઞાનના વિષયના અનન્તમા ભાગને મન:પર્યાયજ્ઞાની જાણે છે. તેમજ મનુષ્યલોકમાં રહેલ અપ્રગટ મનના વિચારને પામેલા રૂપી દ્રવ્યોને ઘણાં જ સ્પષ્ટ જાણે છે. અરલા
सूत्रम्- सर्वद्रव्यपर्यायेषु केवलस्य ॥१-३०॥ અર્થ-કેવળજ્ઞાનનો વિષયવ્યાપાર સર્વદ્રવ્યોમાં અને સર્વપર્યાયોમાં હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org