SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર -(અર્થાત્ કાર્ય કરવાના સંકલ્પમય સૂક્ષ્મ અવસ્થાથી લઈને પ્રકટરૂપમાં જે કરી લેવું. તેની ત્રણ અવસ્થા છે. તે (૧) સંરમ્ભ (૨) સમારમ્ભ અને (૩) આરમ્ભ કહેવાય છે.) ત્રણ પ્રકારનો યોગ તે આગળ આવી ગયેલ છે. લા ૧૫૪ માષ્યમ્- અન્નાહ-અથાનીવાધિરળ િિમતિ ?, अत्रोच्यते અર્થ- (જિજ્ઞાસુ) અહીં કહે છે કે હવે અજીવ અધિકરણ શું છે ? (ઉત્તરકાર) કહેવાય છે અહીં सूत्रम् - निर्वर्तनानिक्षेपसंयोगनिसर्गा द्विचतुर्द्वित्रिभेदाः परम् ॥६- १०॥ અર્થ- બીજું (અજીવ અધિકરણ) બે પ્રકારે, ચાર પ્રકારે, બે પ્રકારે અને ત્રણ પ્રકારે (અનુક્રમે) નિવૃર્તના, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગરૂપ છે. અધ્યાય - ૫ भाष्यम् - परमिति सूत्रक्रमप्रामाण्यादजीवाधिकरणमाह, तत् समासतश्चतुर्विधम्, तद्यथा निर्वर्तना निक्षेपः संयोगो निसर्ग इति । અર્થ- પરમ એટલે સૂત્રક્રમ અનુસાર અજીવ અધિકરણ જાણવું. તે ટૂંકમાં ચાર પ્રકારે છે. તે આ રીતે, (૧) નિર્વર્તના, (૨) નિક્ષેપ, (૩) સંયોગ અને (૪) નિસર્ગ. भाष्यम्- तत्र निर्वर्तनाधिकरणं द्विविधम्- मूलगुणनिर्वर्तनाधिकरणमुत्तरगुणनिर्वर्तनाधिकरणं च तत्र मूलगुणनिर्वर्तना पञ्च शरीराणि वामनः प्राणापानाश्च, उत्तरगुणनिर्वर्तना काष्ठपुस्तचित्रकर्मादीनि । અર્થ- તેમાં નિર્વર્તના અધિકરણ બે પ્રકારે છે (૧) મૂલગુણનિર્વર્તન અધિકરણ અને (૨) ઉત્તરગુણનિર્વર્તન અધિકરણ. તેમાં મૂળગુણનિર્વર્તના- (ઔદારિકાદિ) પાંચ શરીરો, ભાષા, મન અને શ્વાસોશ્વાસ. (આ આઠની રચના મૂલગુણનિર્વર્તનરૂપ જાણવી.) ઉત્તરગુણ નિર્વર્તના- લાકડાના પૂતળા, પુસ્તકર્મ, ચિત્રકર્મ, આદિ (રચનાઓ ઉત્તરગુણનિર્વર્તના રૂપ જાણવી.) (વિશેષ-પુદ્ગલદ્રવ્યની શરીરરૂપ રચના, જે જીવને શુભાશુભ પ્રવૃત્તિમાં અંતરગ સાધનરૂપે ઉપયોગી થાય છે, તે મૂળગુણ નિર્વર્તના અને લાકડી, પત્થર, શસ્ત્ર આદિ જે બહિરંગ સાધનરૂપ શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે ઉત્તરગુણ નિર્વર્તના. (બીજી રીતે) શસ્ત્રાદિમાં કૃપાણાદિનો આકાર તે મૂળગુણ નિવર્તના અને તે આકારની શકિત-ઉજ્જવળતા વગેરે ઉત્તરગુણ નિર્વર્તના). भाष्यम्- निक्षेपाधिकरणं चतुविर्धम् - तद्यथा - अप्रत्यवेक्षितनिक्षेपाधिकरणं दुष्प्रमार्जितनिक्षेपाधिकरणं सहसानिक्षेपाधिकरणमनाभोगनिक्षेपाधिकरणमिति । અર્થ- નિક્ષેપ અધિકરણ ચાર પ્રકારે છે. તે આ રીતે, (૧) અપ્રત્યવેક્ષિતનિક્ષેપાધિકરણ- (ચક્ષુથી ૧. નિર્વર્તના = બનાવટ, ૨. નિશ્ચિવ્યોઽસાવિતિ નિયક્ષેપ –સ્થાપન કરવું, મુકવું, ફેંકવું વગેરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy