SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય - ૪ રહેલા દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. भाष्यम्- आरणाच्युतादूर्ध्वमेकैकेनाधिका स्थितिर्भवति नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च। आरणाच्युते द्वाविंशति ग्रैवेयकेषु पृथगेकैकेनाधिका, स्त्रयोविंशतिरित्यर्थः, एवमेकैकेनाधिका सर्वेषु नवसु, यावत् सर्वेषामुपरि नवमे एकत्रिंशत्, सा विजयादिषु चतुर्ध्वप्येकेनाधिका द्वात्रिंशत्, साप्येकेनाधिका सर्वार्थसिद्धे त्वजधन्योत्कृष्टा त्रयस्त्रिंशदिति ॥३८॥ અર્થ- આરણ-અચુત કરતાં એક-એક સાગરોપમ અધિક સ્થિતિ નવે ય રૈવેયકોમાં, વિજયાદિમાં અને સર્વાર્થસિદ્ધમાં હોય છે. આરણ-અર્ચ્યુતમાં બાવીસ સાગરોપમ હોય છે. રૈવેયકમાં જુદા જુદા એકેક ઉમેરતાં-પહેલાં રૈવેયમાં ત્રેવીસ સાગરોપમ. એ પ્રમાણે નવે નવ સુધીમાં એકેક ઉમેરતાં સૌથી ઉપર રહેલા નવમા સૈવેયકમાં એકત્રીસ સાગરોપમની સ્થિતિ હોય, વિજયઆદિ ચારેયમાં એક ઉમેરતાં બત્રીસ સાગરોપમની સ્થિતિ. તેમાં પણ એક ઉમેરતાં સર્વાર્થસિદ્ધમાંતો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેયથી તેત્રીશ સાગરોપમની સ્થિતિ હોય છે. ઝા. भाष्यम्- अत्राह-मनुष्यतिर्यग्योनिजानां परापरे स्थिती व्याख्याते, अथौपपातिकानां किमेकैव સ્થિતિ?, Rપજે વિદ્યતે તિ?, મત્રોગ્યઅર્થ- (જિજ્ઞાસુ) અહીં પ્રશ્ન પૂછે છે કે-મનુષ્ય-તિપંચની ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિ કહી છે. હવે ઔપપાતિકોની સ્થિતિ શું એક જ હોય છે કે (અર્થાત) ઉત્કૃષ્ટ-જઘન્યપણે તેમનામાં નથી હોતું? (ઉત્તરકાર) કહેવાય છે અહીં सूत्रम्- अपरा पल्योपममधिकं च ॥४-३९॥ અર્થ- (સૌધર્મ અને ઈશાનમાં અનુક્રમે) જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ અને સાધિક પલ્યોપમ છે. भाष्यम्- सौधर्मादिष्वेव यथाक्रममपरा स्थिति: पल्योपममधिकं च, अपरा जघन्या निकृष्टेत्यर्थः । परा प्रकृष्टा उत्कृष्टेत्यनर्थान्तरम् । तत्र सौधर्मेपरा स्थितिः पल्योपममैशाने पल्योपममधिकं च ॥३९॥ અર્થ- સૌધર્મ આદિમાં જઘન્ય સ્થિતિ પલ્યોપમ અને સાધિક પલ્યોપમ પ્રમાણ છે. અપરા, જઘન્ય, નિકૃષ્ટ ઈત્યાદિ પર્યાયવાચી છે. પરા, પ્રકૃષ્ટ, ઉત્કૃષ્ટ તે પર્યાયવાચી છે. તેમાં (એટલે સૌધર્માદિમાં)-સૌધર્મમાં જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ પ્રમાણ અને ઈશાનમાં સાધિકપલ્યોપમ (પ્રમાણ) છે. ૩૯ સૂર- સાગરોપમ -૪ળા. અર્થ- સનસ્કુમારમાં બે સાગરોપમપ્રમાણ (જઘન્ય) સ્થિતિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005474
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorAkshaychandrasagar
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy