________________
નોંધઃ પ્રભાતિયું ગવાતું હોય ત્યારે શ્રી સૌભાગ્યભાઈ પરમકૃપાળુદેવના ચિત્રપટને
પ્રણામ કરે છે. પછી વચ્ચે રાખેલ ખાટલા પર બેસે છે. શ્રી સૌભાગ્યભાઈ - હે નાથ ! અનાદિકાળથી આ આત્મા મોહની નિંદમાં સૂઈ
રહેલ. હે કૃપાનાથ ! જો આપ ન મળ્યા હોત તો આ
પામરની શી દશા થાત ? નોંધઃ પૂ.શ્રી સૌભાગ્યભાઈ સ્ટેજ પર આમતેમ ફરે છે. બારણાં તરફ નજર કરે છે,
ત્યાં શ્રી ડુંગરભાઈ પ્રવેશે છે. શ્રી ડુંગરભાઈ - કઈ દશાની વાત કરો છો સોભાગભાઈ ! શ્રી સૌભાગ્યભાઈ :- અરે ! આ જ તો કંઈ વહેલાં આવી ગયા ગોસળિયા ! શ્રી ડુંગરભાઈ :- હા ! દર્શન કરવા નીકળેલ તો દૂરથી તમને બારીમાં જોયા,
થયું કે, લાવ મળીને પછી જ ઘેર જાઉં. શ્રી સૌભાગ્યભાઈ :- તો, તો તમો શિરામણી કરીને નહીં આવ્યા હોં !
આપણે સાથે જ શિરામણી કરીશું કેમ ? શ્રી ડુંગરભાઈ :- ના, ના એની કશી જરૂર નથી. પણ હું આવ્યો ત્યારે તમો
કંઈક દશાનું કહેતા હતા. તે શું છે ? શ્રી સૌભાગ્યભાઈ :- જાઓ ! ગોસળિયા ! સામેના મંદિરમાંથી એક સુંદર પદ
પ્રભાતિયું ગવાતું હતું. “મોહની નિંદમાં સૂઈ મત રહો સદા” એ સાંભળતાં મને વિચાર આવ્યો કે, આ આત્મા અનાદિથી મોહની નિંદમાં સૂઈ રહેલ, એને જગાડનાર પ્રભુ ન મળ્યા હોત તો આ પામરની શી દશા થાત ? ખરી વાત છે ને મારા
ભેરુ ? શ્રી ડુંગરભાઈ :- હા, હા ! ખરેખર જો કૃપાનાથ ન મળ્યા હોત તો આપણી
શી દશા થાત ? નોંધ: શ્રી સૌભાગ્યભાઈ વળી વળીને બારણા તરફ નજર કરતા હોય છે તેથી
ડુંગરભાઈ પૂછે છે. શ્રી ડુંગરભાઈ :- સોભાગભાઈ ! બારણા તરફ વારંવાર કેમ જોયા કરો છો ?
શી વાત છે ? શ્રી સૌભાગ્યભાઈ :- ડુંગરભાઈ ! હું ટપાલીની રાહ જોઉં છું. એ હજુ કેમ નહીં
જ્ઞાનમાર્ગની શ્રેણી -વચનાવલી
૨૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org