SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પાયો નિજથાન ફિર બાહરિ ન બહંગ; કબહૂ કદાપિ અપની સુભાવ ત્યાગિ કરિ, રાગ રસ રાચિકૈં ન પરવસ્તુ ગહેંગ; અમલાન જ્ઞાન વિદ્યમાન પરગટ ભયૌ, યાતિ ભાંતિ આગમ અનંતકાલ રહૈગૌ. | (સર્વ વિશુદ્ધદ્વાર - ૧૦૮) એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઈ દર્વ કબહું ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉં, અપને અપને રૂપ કોઉ ન કરતુ હૈ; જડ પરિનામનિકૌ કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ. (કર્તાકર્મ અધિકાર – સમયસાર નાટક) આમ શ્રી સૌભાગ્યભાઈને અપૂર્વ આત્મજાગૃતિ આપતા આ ત્રણ સમયસાર નાટકના સવૈયા આ પત્રને મથાળે ટાંકી, સમયસારનું રહસ્ય સમજવાને સમર્થ પરમ અધિકારી શ્રી સૌભાગ્યભાઈને જ આ પત્ર સંભળાવવાની શ્રી અંબાલાલભાઈને ભલામણ કરે છે. પરમકૃપાળુદેવ પત્રમાં લખે છે કે, “શ્રી સૌભાગ્યને વિચારને અર્થે આ કાગળ લખ્યો છે, તે હાલ શ્રી અંબાલાલે અથવા બીજા એક યોગ્ય મુમુક્ષુએ તેમને જ સંભળાવવો યોગ્ય છે.” આ પત્ર દ્વારા પરમકૃપાળુદેવે શ્રી સૌભાગ્યભાઈને સર્વ અન્યભાવથી મુક્ત આત્માનો અનુભવ કરવાનો, સર્વ દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી-ભાવથી સર્વથા અસંગપણું અનુભવવાનો મહાન કીમિયો બતાવી, સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ ભિન્ન આત્મ અનુભવ કરવારૂપ મુક્તદશા અનુભવી, મૌન-અપ્રતિબદ્ધ-અસંગ અને નિર્વિકલ્પ થઈ મુક્ત થવાનો ને શુદ્ધ સહજાત્મસ્વરૂપની અમૃતાનુભૂતિ કરવાનો પરમ બોધ કર્યો છે. આ પછીના પત્રાંક-૭૮૦માં શરૂઆતમાં જ “જેને કોઈ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર” એમ લખી શ્રી સૌભાગ્યભાઈને પણ તેવા શ્રી સોભાગભાઈનું સમાધિમરણ Jain Education International For Persona Private Use Only www.jainelibrary.org
SR No.005471
Book TitleHriday Sakha Shree Saubhagya
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy