SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ સ્વાધ્યાય સુધા અનુભાગ માટે જુઓ વ્યા.સા. ૧/૬૫. (૪) આત્માના હોવાપણા વિષે જેને શંકા પડે તે “ચાર્વાક કહેવાય. (૫) તેરમે ગુસ્થાનકે તીર્થકરાદિને એક સમયનો બંધ હોય. મુખ્યત્વે કરી વખતે અગિયારમે ગુણસ્થાનકે અકષાયીને પણ એક સમયનો બંધ હોઈ શકે. (૬) પવન પાણીની નિર્મળતાનો ભંગ કરી શકતો નથી, પણ તેને ચલાયમાન કરી શકે છે. તેમ આત્માના જ્ઞાનમાં કાંઈ નિર્મળતા ઓછી થતી નથી, પણ યોગનું ચલાયમાનપણું છે તેથી રસ વિના એક સમયનો બંધ કહ્યો. (૭) જોકે કષાયનો રસ પુણ્ય તથા પાપરૂપ છે તો પણ તેનો સ્વભાવ કડવો છે. સામાન્યપણે એમ માનવામાં આવે છે કે કષાય પાપરૂપ છે, પણ અહીં એમ કહેવામાં આવ્યું છે કે પુણ્યરૂપ પણ હોય છે. દા.ત. કોઈને મદદ કરવાનો ભાવ થવો એને મદદ પણ કરવી તે પુણ્યરૂપ છે, પણ તેની સાથે એમ ભાવ થઈ આવે કે-“મેં મદદ કરી”, “મારા વડે મદદ કરવામાં આવી” અથવા “મેં મદદ કરી” એટલે આગામી ભવમાં મને તે પુણ્યરૂપે મળશે. આ ભાવ પાપરૂપ એટલે કે અનુભાગ કષાયરૂપ થવાથી પાપરૂપ થઈ જાય છે અને જયારે ઉદયમાં આવે ત્યારે “કડવો' એટલે દુઃખરૂપ થઈ પડે છે તેથી ઉદયમાં પાપ કર્મનું બંધન કરાવે છે. (૮) પુણ્ય પણ ખારાશમાંથી થાય છે. પુણ્યનો ચોઠાણિયો રસ નથી, કારણ કે એકાંત શાતાનો ઉદય નથી. કષાયના ભેદ બે : (૧) પ્રશસ્તરાગ. (૨) અપ્રશસ્તરાગ. કષાય વગર બંધ નથી. પ્રશસ્ત રાગ, અપ્રશસ્ત રાગ માટે જુઓ વ્યા.સા. ૧૬૫. (૯) આર્તધ્યાનનો સમાવેશ મુખ્ય કરીને કષાયમાં થઈ શકે, “પ્રમાદનો ‘ચારિત્રમોહમાં અને યોગ’નો “નામકર્મ'માં થઈ શકે. (૧૦) શ્રવણ એ પવનની લહેર માફક છે. તે આવે છે, અને ચાલ્યું જાય છે. (૧૧) મનન કરવાથી છાપ બેસે છે અને નિદિધ્યાસન કરવાથી ગ્રહણ થાય છે. (૧૨) વધારે શ્રવણ કરવાથી મનનશક્તિ મંદ થતી જોવામાં આવે છે. (૧૩) પ્રાકૃતજન્ય એટલે લોકમાં કહેવાતું વાક્ય, જ્ઞાનીનું વાક્ય નહીં. (૧૪) આત્મા સમય સમય ઉપયોગી છતાં અવકાશની ખામી અથવા કામના બોજાને લઈને તેને આત્મા સંબંધી વિચાર કરવાનો વખત મળી શકતો નથી એમ કહેવું એ પ્રાકૃતજન્ય લૌકિક વચન છે. જો ખાવાનો, પીવાનો, ઊંઘવા ઈત્યાદિનો વખત મળ્યો ને કામ કર્યું તે પણ આત્માના ઉપયોગ વિના નથી થયું, તો પછી ખાસ જે સુખની આવશ્યકતા છે, ને જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005470
Book TitleSwadhyaya Sudha
Original Sutra AuthorN/A
AuthorRasikbhai T Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2007
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy