________________
ഫ
દિનબંધુ અતિ મૃદુલ સુભાઉ, ગાઉ નિશદિન ગીત; પ્રેમસખી' સમજું નાહિ ઊંડી, એક ભરોંસો ચિત્ત. વિ.
૨. પ્રીતમ સદ્ગુરુના તે શબ્દ વિચારતાં, મટે માયા મોહ વિકાર,
હરિરસ પીજીએ. (ટેક) બાળી ભસ્મ કરે બીજી વાસના, ઉર પ્રગટે પ્રેમ અપાર, હરિ. એવો અજર અમી રસ જે પીએ,તેનાં નેણાં વેણાં પલટાય. હરિ. લાગી બ્રહ્મખુમારી ન ઊતરે, સુખ મુખે કહ્યું નવ જાય. હરિ. તેને સંભવ નહિ રે શરીરનો, થયો આતમદષ્ટ ઉઘાડ. હરિ. મરજીવા થઈ હરિને મળે, ગાળે શાન હિમાળે હાડ. હરિ. બ્રાહ્મધ્યાને ગગનવત થે રહે, જેમ કંભ મહાજળ માંય. હરિ. કૃષ્ણ પોતામાં પોતે શ્રીકૃષ્ણમાં, કૃષ્ણ વિના ન દીસે કાંય. હરિ. જેહ સરિતા સાગરમાં જઈ ભળે, તેનું નામ નદી ટળી જાય. હરિ. કહે પ્રીતમ સદ્ગુરુ સેવતાં, ટળે અંતર એકરસ થાય. હરિ.
૩. અખાનું ભજન સમજ વિનાનું રે સુખ નહિ જીવને રે જી, સાધકને (એ) અનુભવથી ઓળખાય, (૨) પોતાનામાં દરશે રે પોતે જ્યારે આતમા રે જી, ત્યારે તેનું હું પદ સહેજે રે જાય. (૨) ૧ પારસ વગરનો રે કોઈ પથ્થરો મળે રે જી, તેથી લોહ લીટી ન કંચન થાય, (૨) સદ્દગુરુ વિના રે સાધન જે કોઈ કરે રે જી. તેથી તેનું જીવપણું નવ જાય. (૨) ૨
00 કે
શ્રી ચિદાનંદજી મહારાજનાં પદો
૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org