________________
ܩܩܩܐ
૭ ૧૨૭ o
મુંબઈ, તા. ૩-૨-૮૫
Jain Education International
11:30 11
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ II
૫. પૂ. સદ્ગુરુદેવાય નમ:
ઘણા વખતથી પત્ર લખાણો નથી, ક્ષમા આપશો. આ. નિગનભાઈ તરફથી સમચાર મળ્યા છે કે સ્વાધ્યાય કરતાં કરતાં આપને અસ્વસ્થ લાગતાં વહેલું સ્વાધ્યાય બંધ કર્યું હતું અને Checking માટે સુરેન્દ્રનગર જવાના હતા. મારો પત્ર મળશે ત્યારે રિપોર્ટ આવી ગયો હશે. શું રિપોર્ટ આવ્યો છે તે જણાવશો. પત્ર દ્વારા હું પ્રભુ પાસે પ્રાર્થના કરૂં છું કે મારા ગુરુદેવનો રિપોર્ટ સારો જ આવે. ૧૦૦ વર્ષ સુધી સ્વસ્થ, તંદુરસ્ત જીવન જીવો !
સમાચાર મળ્યા છે કે પૂ. બા ચાલીને આશ્રમમાં સ્વાધ્યાય માટે જાય છે. એટલે લગભગ સારૂં થઈ જ ગયું કેહવાય. કસાયેલું શરીરને કારણે જ આટલું જલ્દી ચાલી શક્યા. બાકી હજી વાર લાગે. દિલીપભાઈનો આધ્યાત્મિક રીતે પ્રોગ્રેસ થતો હશે, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે. આ. ભાઈબેનોને વંદન કહેશો. આ. નલિનભાઈ મઝામાં હશે. આશ્રમનું કામકાજ પૂરૂં થયું હશે અથવા પૂર ઝડપે ચાલુ હશે. આ. નલિનભાઈને ખાસ સુચના આપશો કે મારા Blockમાં Lavatoryમાં ફેરફાર કરી ઉભું Toilet મૂકાવા ભલામણ કરે.
પરમાર્થ-આપની સૂચના મુજબ જ્ઞાનસારમાં તપ અષ્ટકથી ઉલટું વાંચવાનું શરૂ કરેલ છે. ગુજરાતી બાયબલ પણ મળ્યું છે તે વાંચવાનું શરૂ કરેલ છે. તેમાં Every thing is created by god ને દુનિયા કેમ શરૂ થઈ ત્યારની બધી વાત બધું જ ઇશ્વરની ઇચ્છાથી થાય.
TO ૩૧૨
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org