________________
ܩܩܩܩ
નગિનભાઈ સાથે મોકલી આપીશ. પૂ.બાને પગે હવે સારૂં હશે. દિલીપભાઈ, સરોજભાભી તથા બાળકો મઝામાં હશે. મિનલ મેઘદૂત રહેવા આવી છે. ઓફિસે ગઈ છે. સ્વાધ્યાય, ધ્યાન બરાબર કરે છે. એ જ,
લી. આજ્ઞાંકિત સદ્ગુણાના પ્રણામ
૭ ૯૮
11.30 11
|| સહજાત્મ સ્વરૂપાય નમઃ II
પ. પૂ. સદ્ગુરુદેવાય નમ:
અમે બધા-હું, રોહિત, શાંતાબેન વગેરે સુખરૂપ મુંબઈ પહોંચી ગયા છે. મિનલ સ્ટેશન પર અમોને લેવા આવી હતી, ત્યાંથી જ સુદર્શન ચાલી ગઈ હતી.
Jain Education International
આ વખતના ૧૦ દિવસના ૫૨મ સત્સંગમાં સાચે જ ખૂબ જ મજા આવી હતી, ૧૦ દિવસ ૧૦ મિનીટ જેવા જ લાગ્યા હતા. અને તે રાત્રીના ગુરુગમ તથા ગુરુમહિમાના ભજનમાં પણ મઝા આવી હતી. તેથી અધિક આનંદ તો આપશ્રી સાથે બેસી, મને તથા નલિનભાઈને ચર્ચા ક૨વાનો મોકો મળ્યો હતો તથા આપે સ્વાનુભવ સમજાવ્યું અને અમે ક્યાં છે એ પણ સમજાવ્યું હતું, સાચે જ ખૂબ જ આનંદ થયો કે મારી ઘણા વખતની ઝંખના, મોકળા મને બેસી, ચર્ચા વિચારણા કરવાની હતી અને હજુ પણ બેસી ચર્ચા ક૨વાની છે, તો વધારે આનંદ આવશે, મને ખબર છે કે જ્યાં સુધી હું બોલીશ નહીં ત્યાં સુધી આપ પણ મુંગે મોઢે જ બેસશો. સ્વાધ્યાય-પરમાર્થ બાબત એ તો આમ બેઠાં હોઈએ તો સહજ નીકળી જાય. ખાસ, બોલાતું જ નથી. ગુરુપૂર્ણિમાના દિવસે અમને જે મહત્વ-chance આપો છો તે અમારા માટે ખરેખરા
આધ્યાત્મિક પત્રવ્યવહાર
તા. ૧૪-૭-૮૨
For Personal & Private Use Only
૨૭૫
www.jainelibrary.org