________________
લગભગ ૧૧|| લાખનું Project છે, વગેરે બધું શાંતિથી સાંભળ્યું છે. ના, એવું કાંઈ કીધું નથી. જોઈએ પછી, વિચાર કરતા મૂકી દીધા છે,
આચાર્ય બુદ્ધિસાગર રચિત આનંદઘનજીના પદોનો અર્થ-આપની લાલ નોટબુકમાં જે પદો છે એના અર્થ એમાંથી વાંચ્યાં બહુ મઝા આવી. આ ચોપડી રાજુના દાદાજીની છે. પદ ૭મું- “અવધું ક્યા સોવે તન મઠમેં” એનો અર્થ વાંચતા એમનો માર્ગ કુંડલીનીનો હોય એમ સ્પષ્ટ લાગે છે. આપણો રાજમાર્ગ નથી.
સાગરમાં વચનામૃત પહેલેથી જ શરૂ થયું છે. હમણાં બાર ભાવનાઓ વંચાય છે. એમાં શું સરસ, યથાર્થ બોધ-ઉપદેશ બોધ, ઉપદેશ બોધ હોય તો જ સિદ્ધાંત બોધ પરિણમે. અને શું એમની વૈરાગ્યતા, એકત્વ ભાવના અને રાજ રાજેશ્વર ભરતની અન્યત્વ ભાવના છ ખંડના ચક્રવર્તી રાજાને એક આંગળીથી વીંટી સરકી જવાથી કેટલો બોધ પામી ગયા ! અને તે અરિસા ભુવનમાં આત્મ-અનાત્માનો વિવેક, ભેદજ્ઞાન1st stage અહં મમત્ત્વ છૂટી ગયું-2nd state, મોહતીમિર ટળી ગયું 3rd stage શુક્લ ધ્યાન થયું. ૧૨મા ગુણસ્થાનમાં આવી ગયા, કેવલ જ્ઞાન થયું અને મોક્ષે ગયા. પૂર્વનું આરાધન એક વીંટીના સ૨કવાથી સ્વયં બોધ પામ્યા. અમારી કિંમતી ગળાનું પેન્ડન તથા હીરાની બંગડી પણ ગુમાઈ હતી, પણ એવો કાંઈ વૈરાગ્ય થયો નહીં હતો. ત્યારે આવું જ્ઞાન પણ પામ્યા ન હતા. અન્યત્વ વગેરે ભાવના વંચાય ત્યારે Temporary વૈરાગ્ય આવે અનાસક્ત ભાવ તો ૨હે છે જ.
એવી અશુચિ ભાવના-સનતકુમારનું ચરિત્ર-ક્ષણમાં કાયાનું વિણસી જવાનું, રક્ત પીત્તીયા તેનાથી વૈરાગ્ય પામ્યા, તે સ્વયંબુધ-બોધ પામ્યા. એ રીતે બધીજ ભાવનાઓ પરમાર્થ દૃષ્ટિએ ખુબ જ ઉપયોગી છે માટે દરેકને પૂર્ણ પ્રાપ્તિ કે સારી દશાવાળા કે અર્ધ પ્રાપ્તિ કે બધાને માટેજ પહેલેથીજ વાંચવાનું સુચન કરશો. એ મારા અનુભવ ઉપરથી લખું છું.
OTT
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
ન
૨૫૩
www.jainelibrary.org