________________
ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ
સવારમાં સાયલા સુખરૂપ પહોંચી ગયા છીએ.
ત્રણ વાગતાં એર શીપ શાંતાક્રુઝથી ઉપડ્યું તે ચાર‘વાગે બરાબર રાજકોટ એરોડ્રામ પહોંચી લેન્ડ થયું હતું. બધા રીસીવ ક૨વા આવ્યા હતાં, ડો. મનુભાઈને ત્યાં ચાપાણી રસ્તામાં લઈ, આ. ચુનીભાઈને ત્યાં ગયા હતા. બપોરે-રાત્રીના સ્વાધ્યાય રાખ્યા હતા. તા. ૧૯-૧૦ આખો દિવસ અને રાત્રી નીકળવા દીધા નહીં. તા. ૨૦-૧૦ સવારે રાજકોટથી રવાના થઈ સાયલા આવ્યા.
તા. ૭-૧૦ થી તા. ૧૭-૧૦ સુધીનો મુંબઈનો પ્રોગ્રામ ભરચક રહ્યો, યોગીરાજ શ્રી આનંદઘનજીના સ્તવનોનો ભાવાર્થ એક વખત વાંચી જઈશ. તમો બધાની સહાયથી તે કામ પુરૂં થઈ શક્યું.
હોમીયોપેથી ગોળીયોથી ગળું સ્હેજ ખૂલ્યું હોય તેમ દેખાય છે. પરંતુ પુરતો કોર્સ પૂરો થાય ત્યારે ખબર પડે.
ગુલાબી લાંબી ગોળી રોજ એક કટકા કરી ખાવાની છે તે રાજકોટના ડોકટરો કહે તેમાં ચરબીનો પટ આવે છે. તેવી બીજી ગોળીઓ અહિંસક આવે છે તો આને બદલે તેવી બીજી ગોળીઓ આવતી હોય તો ગોળી બીજીનું પ્રીસ્કાઈબ કરી લખી મોકલશો. ત્યાં સુધી લેવાનું બંધ રાખેલ છે.
પૂ. માજીને વંદન. શ્રીમાન શેઠશ્રી ચિમનભાઈને વીર વંદન. ચિ. મિનલકુમારીને આશીષ.
આ વખતના ૧૨ દિવસના સત્સંગમાં શું અસર થઈ તે જણાવશો. તમારી પ્રગતિથી મને સંતોષ થયેલ છે. તમોને ખુશી મઝામાં ચાહુ છું.
લી. સંતચરણ સેવક લાડકચંદના આત્મભાવે વંદન
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
૨૧
www.jainelibrary.org