________________
માંડી પણ Routine work માં લાગી ગઈ છું.
ગઈ રાત્રે વિરમગામથી અમદાવાદ સુધી-સંતની વાણી વાંચ્યું. સૂઈ ગઈ, ઊંઘ આવી ગઈ હતી. ચાપાણી કરી ન્હાઈ-ધોઈ સાગરમાં હું ગઈ. ત્યાં વચનામૃત વંચાતું હતું. થોડું જવામાં મોડું થઈ ગયું હતું. મિનલ આવી ન હતી. એને મામા સાથે Foreign થી Edwin આવેલ છે તેની સાથે જવાનું છે. લંચ પણ બહાર એની સાથે લેવાના છે. Edwin આવતી કાલે જવાના છે.
ન
હું સાગરમાંથી આવી પણ પગમાં દુઃખાવો છે. સૌથી પહેલા બાઈ પાસે તેલ (નારાયણ) ચોળાવ્યું. પણ પૂ. બા જેવું તો એને ન જ આવડ્યું. પણ હમણાં રોજ ચોળાવવું પડશે. ગોળી પણ ચાલુ જ છે.
Diabetic blood-Sugar નો રિપોર્ટ પણ હવે કરાવવાનો છે. ડૉ.ને બતાવવા જવાનું છે. ગયા વખતે Post Pandial જમ્યા પછી બે કલાકનો ૩૧૯ હતો તે વધારે હતો. ડૉકટર ૧૫ દિવસ Exercise dieting વજન ઉતારવાનો ટાઇમ આપ્યો છે. લગભગ એક મહિનો થવા આવ્યો છે, હવે બતાવવા જવું પડશે. જોઇએ રિપોર્ટ હવે શું આવે છે. પગના દુઃખાવાને કારણે વધારે પડતી Exercise કરી શકતી નથી. વજન પણ ઉતર્યું નથી.
આપ પણ આપના દેહનો તથા પૂ. બાના દેહનો ખ્યાલ રાખશો. તેલવાળું (તળેલું) તો ખાશો જ નહિ. જેનાથી રાતના ઉધરસ આવે છે. આ પહેલી જ વખત ખુલાસાથી પરમાર્થ સિવાયનો દીલ ખોલીને પત્ર લખું છું.
છોટાભાઈના બે પત્ર વાંચ્યા. ખૂબ મઝા આવે છે.
વચનામૃત વર્ષ ૨૯માં આત્મસિદ્ધિ ચાલે છે. જે આપે ધ્યાન દોરેલા પત્રો છે જે હજુ ધ્યાનથી સમજવાના છે, વાંચવાના છે.
આધ્યાત્મિક પત્રવ્યવહાર
Jain Education International
For Personal & Private Use Only
૧૮૫
www.jainelibrary.org