________________
થવાય પછી જ લખવું એમ નક્કી કરેલ હતું.
છેલ્લા ૫-૬ દિવસથી Trunk call book કરું છું પણ Sayala to Surendranagar Line out of order જ મળે છે. આખો દિવસ ફોનની રાહ જોઉં-આપની સાથે વાત ક૨વા માટે. રાત્રે ફોન Cancel થાય. પછી એમ જ થયું કે પત્ર લખી નાખું. બે ચાર દિવસમાં જવાબ તો મળે ને !
હમણાં આપના જુના પત્રો વાંચતી હતી તેમાં પત્ર ૪૭૧-૪૭૨નો આપનો જવાબ હતો કે આખો પત્ર ગુરુગમ ઉપર છે, એ દશા આવે સમજાય છે. જ્યારે આજે ૧ મહિનાથી એ દિવસ આવી ગયો કે મને કૃપાળુ દેવ શું કહેવા માગે છે તે સમજાઈ ગયું. અનુભવાઈ ગયું સુધારસ સંબંધી.
ܩܩܩܩܩܩܩܩ
વચનામૃતનું વાંચન ઘરે તથા સાગરમાં નિયમિત ચાલે છે. જ્ઞાનસાર, અધ્યાત્મસાર વંચાય છે. અધ્યાત્મસારમાં મિથ્યાત્વ-ત્યાગ અધિકારબહું ગુંચવાડા થાય છે કારણ કે કૃપાળુદેવે આત્મસિદ્ધિ તથા છ પદના પત્રમાં એકલું માખણ આપ્યું છે. જ્ઞાનસારમાં બહુ મઝા આવે છે. સમયસાર નાટક પૂરું થઈ ગયું છે. ધ્યાન પણ ચાલે છે. આપ હરઘડી મારી સમીપ જ હો એમ લાગે છે. નિત્યક્રમમાંથી સ્તવન પણ વાંચું છું. એમાં ખૂબ મઝા આવે છે.
મિનળ ૨૯મું વર્ષ વાંચે છે. આપને ખૂબ યાદ કરે છે. સુભદ્રાબેનનો ત્યાં તા. ૧૪મીએ આવવા નીકળવાનો વિચાર છે. મને પણ પૂછતાં હતાં. પણ મારું આવવાનું Mr. C. U. Shah Madras તેમજ લંડન જવાના છે, તેના પછી આવવું નક્કી થશે. મિનલ મારી સાથે આવવાની છે. અઠવાડીયું આવવાની છું.
છેલ્લે દિવસે સવા૨માં ગાયું હતું તે શેમાંથી ગાયું હતું ?
IIIIII વીર-રાજપથદર્શિની-૧
१५०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org