________________
ઇચ્છાઓ જણાવી તે કલ્યાણકા૨ક જ છે. પરંતુ સર્વ ઇચ્છાની સ્ફૂરણા તો સાચા (સત્પુરુષ)ના ચરણકમળની સેવામાં જ રહી છે અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે જે આપે પણ કહ્યું છે. પરમ સત્સંગમાં મહિનાનું કામ એક દિવસમાં થાય, વર્ષનું કામ એક મહિનામાં થાય. પણ મારું એટલું દુર્ભાગ્ય છે કે મને પરમ સત્સંગનો જોગ નથી મળતો. ઈશ્વરેચ્છા.
આંક ૨૦૦, ૪૬૬, ૧૯૪ બધા જ પત્રોમાં આજ કહેવા માગે છે. તે જ માર્ગ સત્ય છે. અને આપ પણ એ જ માર્ગ કહો છો. પણ મને આપના પત્રથી અને ટેલીફોનથી પણ સ્ફુરણા મળે છે. તો જ કંઈ થાય છે તો પરમ સત્સંગમાં કેટલું થતું હશે.
પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જો પામ્યો હોત તો પરિભ્રમણ ક્યાંથી હોત ? જે પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. પણ મને સાધન અપૂર્વ મહત્ પૂણ્યે આપની કૃપાથી પ્રાપ્ત થયું છે. હવે પુરુષાર્થ થાય તો બેડો પાર.
આપ મુંબઈ આવશો ત્યારે વધારે આપની પાસે બેસવું છે જે કાંઈ કરવા જેવું, કહેવા જેવું હોય તે પ્રેરણા કરશોજી. ખાસ કરીને ધ્યાન બાબતમાં. એનું લક્ષ સાધન આખો દિવસ રહે છે. પણ મન ૨-૫ મિનીટથી વધારે સ્થિર રહેતું નથી. કાંઈ હવાઈ કિલ્લા બાંધવા ચાલ્યું જાય છે. બળજબરીથી પાછું ખેંચી લાવવું પડે છે એટલો સુધારો.
Mr. Shah મદ્રાસ છે. આવતી કાલે સાંજના આવશે પૂ. માજી આત્મસિદ્ધિ દિવસમાં બે વખત ધીમે ધીમે વાંચે છે. આંખમાં સુધારો છે. મારી બા સવારે શાસ્ત્ર સ્વાધ્યાય-સવારના નર્સ વાંચે, રાતના આત્મસિદ્ધિ, યોગીજન ઇચ્છે, સુખશાંત, અપૂર્વ અવસ૨, મૂળમાર્ગની Caset રાતના નર્સ જે જૈન એમના પુણ્યે મળી છે તે જ લઈ આવી છે એ જ સંભળાવે છે.
του ૧૩૨
Jain Education International
TTTTT
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org