SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩܩ અવિષમ ઉપયોગે રહી ‘બ્રહ્મનિષ્ઠ’ બન્યા. પરમતત્ત્વની શોધમાં મંડી પડનાર આવા સાધક આત્મા ખરેખર ધન્યવાદને પાત્ર છે. “સ્વમાવ વિનયઃ શૌર્યમ્ ।” પોતાના સ્વભાવને જીતવો-પ્રાપ્ત ક૨વો તે જ સાચી વીરતા છે. બાહ્ય અને અત્યંતર શત્રુઓ સાથે યુદ્ધ કરી આત્માનુભાવી બની ‘બ્રહ્મનિષ્ઠ’ થવાથી ૫. પૂ. ગુરુદેવે તા. ૨જી સપ્ટેમ્બર, ૧૯૮૫ના રોજ તેમને તથા શ્રી નલિનભાઈને ‘બ્રહ્મનિષ્ઠ’નું બિરૂદ આપી તેઓ બંને મહાનુભાવોને પોતાના આધ્યાત્મિક ઉત્તરાધિકારી જાહેર કર્યા. હાલ બ્રહ્મનિષ્ઠ સદ્ગુણાબેન ‘શ્રીમદ્ રાજ-સૌભાગ્ય આશ્રમ'ના ટ્રસ્ટી અને પ્રમુખ તરીકે માનદ સેવા આપી આશ્રમના મુમુક્ષુ ભાઈબહેનોને યથા અવસરે આધ્યાત્મિક પથદર્શક બની રહ્યા છે. એવી રીતે દીર્ઘકાળ પર્યંત પથદર્શક બની રહે એવી ભાવના સેવીએ છીએ. જેમ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શાંતિદાસ નામના અધિકારી શ્રાવકને નિમિત્તે એમના વિપુલ આધ્યાત્મિક સાહિત્યમાંનો ઉત્તમ ગ્રંથજ્ઞાનસાર-લખ્યો તેમ અમારા પ. પૂ. ગુરુદેવે શ્રી સદ્ગુણાબેનના નિમિત્તે મુક્તિમાર્ગની સાધનાના સોપાનનો ક્રમ ખુલ્લો કર્યો. ‘બ્રહ્મનિષ્ઠ’ પદ પ્રાપ્ત થવામાં પ. પૂ. ગુરુદેવની સાથેના તેમના આ પત્રવ્યવહારે અતિ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ પત્રવ્યવહાર દ્વારા તેઓ સાધના સોપાનનો ક્રમ વ્યવસ્થિત રીતે પામ્યા. જે આજે સાધકો માટે પુસ્તક રૂપે પ્રકાશિત થઈ રહ્યો છે. સૌ અધિકારી વાચકને તે ઘણો ઉપકા૨ી થશે એવી અંતરની અભિલાષા સેવીએ છીએ. ખોજ કને એમાંથી ઘણું મળી ૨હેશે. ω નોંધ : આ વિભાગોમાં-વિભાગ ૪માં પત્રલેખકોનું લખાણ મૂળ લખાણમુજબ જ કોઈ પણ સુધારા વિના મૂકવામાં આવેલ છે તેથી જોડણી દોષ આદિ ક્ષમ્ય ગણીને યથાર્થ રીતે વાંચવા વિનંતિ. ૧૦૪ Jain Education International વીર-રાજપથદર્શિની-૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005469
Book TitleVeer Raj Pathdarshini 01
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1998
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy