________________
ॐ
વિભાગ-૪
આધ્યાત્મિક પત્રવ્યવહાર ૫. પૂ. શ્રી સદ્ગુરુદેવ (બાપુજી) અને બ્રહ્મનિષ્ઠ શ્રી સદ્ગુણાબેન
શ્રી સદ્ગુણાબેનનો જન્મ ભરૂચ જિલ્લાના કેરવાડા ગામે તા. ૨૫, નવેમ્બર, ૧૯૨૮ના રોજ થયો.
૧૦૨
બ્રહ્મનિષ્ઠ બેન શ્રી સદ્ગુણાબેનની * જીવન ઝરમર
અધ્યાત્મ માર્ગમાં ઉપકારી એવા સરળતા, નમ્રતા આદિ ગુણો લઇને આવેલ સગુણાબેને જન્મ લીધો માતા મહાલક્ષ્મીને ત્યાં. અને આ મનુષ્ય દેહ પામીને પોતે પોતાના જીવને ત્યાં પારમાર્થિક મહાલક્ષ્મીને જન્મ આપ્યો. એમણે આ સંસારમાં આશ્રય લીધો પિતા અમૃતલાલભાઈનો અને આધ્યાત્મિક સાધનમાં પણ આશ્રય લીધો અમૃતનો.
Jain Education International
તેઓશ્રીને ત્રણ બહેન અને બે ભાઈ છે. માતાની મહત્ત્વાકાંક્ષા તમામ સંતાનોને ભણાવી વિદ્યાસંપન્ન બનાવવાની હતી. આથી તેમનું કુટુંબ આમોદમાં આવી વસ્યું, જ્યાં એમણે મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમનું કુટુંબ મુંબઈ સ્થિર થતાં પોદાર કૉલેજમાં જી.એફ.એ.એમનો કૉર્સ કરી સને ૧૯૫૩માં ડૉકટરી પદવી પામ્યા. આયર્લેન્ડના ડબ્બીનમાં ટૂંકો પોસ્ટ ગ્રેજ્યુએટનો એલ.એમ.નો કૉર્સ કર્યો. એમના લગ્ન શ્રીયુત્ ચિમનભાઈ જેઓ “ધન દોલત દેતા ભલા” એ ભાવના કૃતાર્થ કરી દાનવીર સી.યુ. શાહ તરીકે સમાજમાં પંકાયાતેમની સાથે થયા.
વીર-રાજપથદર્શિની-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org