________________
-
૯૫
ગિરિરાજની નવ્વાણું યાત્રાની વિધિ : (૧) નવ્વાણું યાત્રા કરનારે નીચે દર્શાવેલ સ્થળે દરરોજ
પાંચ ચૈત્યવંદન કરવાં જોઇએ. ૧. શ્રી ગિરિરાજ સન્મુખ જય તળેટીએ. ૨. શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે ૩. શ્રી આદિશ્વર દાદાના મુખ્ય દેરાસરે ૪. શ્રી રાયણ પગલે ૫. શ્રી પુંડરીકસ્વામીના દેરાસરે
એક એક વખત આ પાંચે સ્થાને સ્નાત્ર ભણાવવું જોઈએ. (૨) નવ્વાણું કરનાર નવ વખત નવટૂંકમાં જાય. દરેક ટૂંકમાં
મૂળનાયક પાસે ચૈત્યવંદન કરવાનું હોય છે. (૩) ઘેટીની પાગે નવ વાર દર્શન કરે. ૯૯ ગિરિરાજની + ૯ ઘેટીની પાગની = ૧૦૮ જાત્રા
કરવી જોઇએ. (૪) આયંબીલ કરીને એક વાર બે જાત્રા કરે. (૫) ઉપવાસ કરીને એક દિવસમાં ત્રણ યાત્રા કરે. (૬) શક્તિ હોય તો ચલવિહાર છઠ્ઠ કરીને સાત જાત્રા કરવી. (૭) શેત્રુંજી નદી નાહીને એક યાત્રા કરે. (ત્રણ ગાઉની) (૮) રોહિશાળાની પાયગાથી એક વખત યાત્રા કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org