SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) એકવાર ગિરિરાજ પરનાં બધાં મંદિરોની પ્રદક્ષિણા કરે ત્યારે દોઢ ગાઉની પ્રદક્ષિણા પૂરી કરે. (૧૦) એક વખત છ ગાઉની પ્રદક્ષિણા કરે. (૧૧) એક વખત બાર ગાઉની પ્રદક્ષિણા કરે, કદંબગિરિ હસ્તગિરિની યાત્રા કરવી. (૧૨) શક્તિ મુજબ તપ કરવું તથા આવશ્યક ક્રિયા સવાર સાંજ કરવી. બન્ને સમયે પ્રતિક્રમણ કરવું. બ્રહ્મચર્ય પાલન, સચિત્ત ત્યાગ, ભૂમિ સંથારો અને પગે ચાલીને યાત્રા કરવી. (૧૩) પ્રથમ જયતળેટીથી દાદાની ટૂંકે યાત્રા કરી, ઘેટીની પાળે દર્શન ચૈત્યવંદન કરી, પાછા દાદાની ટૂંકે આવી અને ત્યાંથી જ તળેટી આવવાથી બે યાત્રા ગણાય છે. (૧૪) દરરોજ એક યાત્રા દીઠ ૧૦ બાંધી નવકારવાળી ગણવી. જેથી નવ્વાણું યાત્રા પૂર્ણ થતાં એક લાખ નવકાર પૂર્ણ થાય. (૧૫) સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરવી. નવ સાથિઓ, નવ ફળ, નવ નૈવેદ્ય દરરોજ મૂકવાં. (૧૬) શ્રી શત્રુંજય મહાતીર્થ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ કહી નવ લોગસ્સનો કાઉસ્સગ્ગ દરરોજ કરવો. (૧૭) હંમેશાં ત્રણ પ્રદક્ષિણા દેવી તથા એકવાર દાદાના મંદિરને ફરતી ૧૦૮ પ્રદક્ષિણા દેવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005467
Book TitleAmari Navvanu Yatrano Mitho Anubhav
Original Sutra AuthorN/A
AuthorPravina Chandrakant Mehta
PublisherPravina Chandrakant Mehta
Publication Year2006
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy