SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જીર્ણોદ્ધાર ૧૦૯કુલ હક્ક કારખાનાને છે. અહીં દર વર્ષે કાર્તિકી તથા ચૈત્રી પૂનમને દિવસે શ્રી શત્રુંજયગિરિરાજને સુંદર ૫ટ બંધાય છે. જૂના મંદિરના લેખે આ જૂના મંદિરની ભમતીની લગભગ દરેક દેરીઓ અને ગભારાની બાફ્યાખો પર વિ. સં. ૧૬પરથી ૧૬૯૮ સુધીના લેખો છે. તેમાંના ત્રણ ગભારાના લેખો કાંઈક મોટા, વ્યવસ્થિત અને સંસ્કૃત ભાષામાં છે. બાકીની દેરીઓના લેખે સાવ ટૂંકા અને લગભગ ચાલુ જેવી ગુજરાતી ભાષાના છે. આ બધા લેખોમાં સંવત ઉપરાંત દેરીએ કરાવનાર કે તેમાં મૂર્તિઓ પધરાવનારના કુટુંબના માણસોનાં નામે જ માત્ર આપેલ છે. કેઈ કઈમાં ગામનું નામ પણ આપેલ છે, પરંતુ પ્રતિષ્ઠા કરનાર આચાર્ય કે મુનિરાજનું નામ કેઈ પણ લેખમાં આપેલું નથી; મૂળ મંદિરના લેખમાં આપેલું હશે તેથી આ લેખોમાં નહીં આપ્યું હોય તેમ જણાય છે. પાંચમે જીર્ણોદ્ધાર ઉપર્યુક્ત દેરાસર તૂટયા પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની મૂર્તિ કેટલાક સમય સુધી ભેંશમાં રાખવામાં આવી હતી. મુસલમાની ફજેને ભય દૂર થયા પછી ભોંયરામાંથી બહાર લાવીને તેને મુંજપર કે શંખેશ્વરના ઠાકરેએ, કેટલેક વખત સુધી, પિતાના કબજામાં રાખી હશે અને તેઓ અમુક રકમ. લીધા પછી જ યાત્રાળુઓને દર્શન કરાવતા હશે. - ત્યાર પછી શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર (શ્રી વિજયસિંહસૂરિજી મહારાજના શિષ્ય) શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy