SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શખેશ્વર મહાતીથી વસ્તુપાલ-તેજપાલે આ તીર્થની વિ. સં. ૧૨૯૦ની આસપાસમાં ભક્તિપૂર્વક યાત્રા કરી, સંઘપતિનાં દરેક કાર્યો કર્યા અને તેમણે આ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યું. (સ્ત. ૧૮). (૨) મહામાત્ય વરતુપાલ-તેજપાલના સ્વર્ગવાસ પછી ઉપર્યુક્ત શ્રી વર્ધમાનસૂરિજી મહારાજ સંઘ સાથે આ તીર્થની યાત્રા કરવા પધારતાં માર્ગમાં જ કાળધર્મ પામ્યા -વર્ગવાસી થયા. (તે. ૧૯) (વિ. સં. ૧૩૦૮ પછી). (૩) સંઘવી દેસલે ગુરુ સાથે ચતુર્વિધ સંઘ સહિત વિ. સં. ૧૩૬૧માં અહીંની યાત્રા કરીને મહોત્સવ પૂર્વસંઘપતિનાં સર્વ કૃત્ય કર્યા (તેા૨૨). (૪) શ્રી “લીલાધર રાસ’માં લખ્યું છે કે, વિ. સં. ૧૭૨૫ની આસપાસમાં અમદાવાદના રહેવાસી સંઘવી લીલાધરે શ્રી સૌભાગ્યસાગરજીના ઉપદેશથી શ્રી શત્રુંજય તીર્થને સંઘ કાઢયો હતે. આ સંઘ શત્રુંજય, ઉના, દેલવાડા, અજારા, કેડીનાર, માંગરોળ અને શ્રી ગિરિનાર તીર્થની યાત્રા કરીને શંખેશ્વર આવ્યું હતું. અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથન આનંદપૂર્વક યાત્રા કરીને અહીંથી માંડળ, વીરમગામ થઈને પાછો અમદાવાદ ગયે હતે. (૫) ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીએ ખેડાથી નીકળેલા ચતુર્વિધ સંઘ સાથે વિ. સં. ૧૭૫૦માં અહીંની યાત્રા કરી. (૬) શ્રીમાન ભાવપ્રભસૂરિજી મ. તથા તેમના શિષ્ય શ્રી પુણ્યરત્નજી વગેરેએ સંઘવી શાહ રતનજીએ કાઢેલા સંઘ સાથે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રા વિ. સં. ૧૭૯૭ના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005466
Book TitleSankheshwar Mahatirth
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1976
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy