SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧- ૭ પળવાર શાંત ઊભા રહ્યા, પછી બોલ્યા : 'હે બ્રાહ્મણો ! હું શ્રમણ છું. બીજાને માટે તૈયાર કરેલા અન્નમાંથી વાપરતાં જે કાંઈ વધ્યું હોય તે લેવા આવ્યો છું. અહીં તમે ઘણું અન્ન રાંધેલું છે, માટે તેમાંથી શેષ જે કાંઈ બાકી રહ્યું હોય તે મને આપો.” આ સાંભળી બ્રાહ્મણો બોલ્યા : “આ અન્ન બ્રાહ્મણો માટે જ રાંધેલું છે, માટે તેમના વિના બીજાને તે અપાય નહિ. આ જગતમાં બ્રાહ્મણ જેવું એકે પુણ્યક્ષેત્ર નથી.' આ સાંભળી મુનિએ જવાબ આપ્યો: ‘તમે યજ્ઞમાં હિંસા કરો છો, જૂઠું બોલો છો, બ્રહ્મચર્ય પાળતા નથી ને માલમિલકત રાખો છો તો પુણ્યક્ષેત્ર કેવી રીતે ? પુણ્યક્ષેત્ર તો તે કહેવાય છે અહિંસા પાળતા હોય, સત્ય વચન બોલતા હોય, બ્રહ્મચર્ય પાળતા હોય ને માલમિલકતના ત્યાગી હોય.' આ સાંભળી પાસે ઊભેલા શિષ્યો તપી ગયા. તેમને લાગ્યું કે ગુરુનું અપમાન થાય છે, એટલે તે તાડૂકીને બોલ્યા: “અરે મૂઢ, અમને બધી ખબર પડે છે કે કયું પુણ્યક્ષેત્ર છે ને કયું પાપક્ષેત્ર છે. તારી લવરી બંધ કરી ચાલ્યો જા.' આ સાંભળી મુનિએ સંપૂર્ણ શાંતિથી જવાબ આપ્યોઃ “મેં ઘરબારનો ત્યાગ કરેલો છે, બ્રહ્મચર્ય પાળું છું, અહિંસા ને સત્યના માર્ગે વિચરું છું. જો તમે સત્પાત્રે અન્ન નહિ આપો તો આવડા મોટા યજ્ઞનું ફળ શું થશે ?' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005465
Book TitleMuni Harikesh Acharya Sthulibhadra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy