SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી હરિકેશ બીજા પદાર્થોની આહુતિઓ અપાય છે. તેના ધુમાડે આકાશ ભરાય છે. બ્રાહ્મણો વેદની ધૂન જમાવી રહ્યા છે. આ યજ્ઞમંડપ તરફ કોઈ શૂદ્રને આવવાનો અધિકાર નથી. આ વખતે મુનિશ્રી હરિકેશ ફરતાં ફરતાં ત્યાં આવ્યા. તેમને આજે એક માસના ઉપવાસનું પારણું છે. ૧૧ તે નિરંતર તપ કરે છે ને ધ્યાન ધરે છે, તેથી શ૨ી૨ હાડકાંનો માળો જ રહેલું છે. હવે તેમનું મન સમતાથી ભરપૂર છે, અડગ નિશ્ચયથી ભરેલું છે. તેમને કપડાં ને શરી૨ પરથી મોહ ઊઠી ગયેલો છે. એટલે તે મેલાં છે. મેલાં કપડાંવાળા તથા બેડોળ શરીરવાળા તે મુનિને આવતા જોઈ બ્રાહ્મણો હસવા લાગ્યા. તે બોલ્યા : આ જાડા હોઠ ને લાંબા દાંતવાળો કોણ અહીં આવતો હશે ? જુઓ તો ખરા ! એનું શરીર ધૂળેથી ખરડાયેલું છે ને કપડું તો ઉકરડે નાખેલું ઓઢેલું છે. જ્યારે તે પાસે આવ્યા ત્યારે એક-બે જુવાન બ્રાહ્મણો ઊભા થયા ને તેમને પૂછવા લાગ્યા : અલ્યા ! આ વાઘરિયા વેશે અહીં કેમ આવ્યો છે ? અહીં તારું શું દાટ્યું છે ? ખબરદાર ! આગળ ગયો તો. જેમ આવ્યો તેમ પાછો વળી જા.' તેઓ વિચાર કરવા લાગ્યા : અહો ! આ લોકો બિચારા કેટલા અજ્ઞાન છે ! તેમને ખરા ધર્મની ભાળ નથી. એટલે માને છે કે મેલાં કપડાંવાળા કે અજાણ્યા માણસથી તેમનો યજ્ઞ અભડાઈ જશે ને મોટું પાપ લાગશે.' મુનિશ્રી હરિકેશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005465
Book TitleMuni Harikesh Acharya Sthulibhadra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy