SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧-૪ વરવહુ પ્રદ્ધાદ રાજા તથા કેતુમતી રાણીને પાયે પડ્યાં. તેમણે આશીર્વાદ આપ્યા. ભોગવટા માટે પાંચસો ગામ આપ્યાં. અંજના ને પવનજિત પોતાના મહેલમાં ગયાં. સોળે શણગાર સજ્યા છે. આંખે આંજણ આંજ્યાં છે. સેંથે સિંદૂર પૂર્યા છે. પુષ્પની વેણી ગૂંથી છે. સુગંધી દીપ બળે છે. અંજના જાણે છે, હમણાં પવનજિત મારા ઓરડે પધારશે ને પ્રેમથી હું તેમની સાથે વાતો કરીશ, પણ પવનજિત તો દેખાયા જ નહીં. ઉઘાડી આંખે પ્રભાત પડ્યું. પછી તો એક દિવસ થયો, બે દિવસ થયા. પણ પવનજિત તો અંજના સાથે બોલતાયે નથી, ચાલતાયે નથી. અંજના ખૂબ દુઃખી થઈ. મનમાં વિચારવા લાગી : “મારો એવો શો વાંક ને શો ગુનો કે પરણીને પતિ બોલાવતાયે નથી ? આવા અબોલા કાં ?” થોડા વખતમાં પિયરથી મેવામઠાઈ આવ્યાં. વસ્ત્રઘરેણાં આવ્યાં, તે લઈને સખી વસંતમાળાને પવનજિત પાસે મોકલી. પવનજિતે મેવામઠાઈ લઈને ત્યાં ગાતા ગવૈયાને આપ્યાં. વસ્ત્રના કટકા કર્યા ને ઘરેણાં લઈ ચંડાળને આપ્યાં. વસંતમાળાને ખૂબ ખેદ થયો. આવીને પોતાની સખીને વાત કરી. અંજનાને ખાતરી થઈ : “નક્કી પવનજિત મારા પર રીસે બળ્યા છે, પણ હું શું કરું? મારી સાથે વાતચીત કરે તોયે સમજાવું, પણ પવનજિતને કોણ સમજાવે ? અંજના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005463
Book TitleMahasati Anjana Sati Chandanbala
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy