SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ મહાસતી અંજના હોંશે હોંશે બોલાવે છે, તોય મોં ફેરવી લે છે, ને બોલતા નથી. મનમાં સૂનમૂનાકાર રહે છે. કમળ કરમાય તેમ અંજનાનું શરીર સુકાય છે. તે મનમાં ને મનમાં બોલે છે. દિન પલટ્યો પલટ્યા સજન, ભાંગી હૈયાની હામ; જેની કરતી ઊભરા, ને નવ લે મુજ નામ. પવનજિત હંમેશ ઘોડે ચડી ફરવા જાય છે. અંજના ગોખે બેસીને એકીટસે તેમને જુએ છે. મનમાં મેળાપ થયા જેટલો હરખ પામે છે. પણ પવનજિતને તો એથી ઊલટું જ મનમાં વસ્યું. તેમણે અંજનાના ગોખ આડી ભીંત ચણાવી કે ગોખે બેસી તેમને જુએ નહીં. ક્રોધે ભરાયેલો માણસ શું નથી કરતો ? થોડા વખત પછી તે પોતાનાં પાંચસો ગામ લઈ જુદા રહ્યા. અંજનાને મહેન્દ્રપુરીમાં જ રહેવા દીધી. અંજનાને સ્વામીનો વિયોગ થયે બાર વરસ વીતી ગયાં છે. એક વાર યુદ્ધ ચઢવાનું આવ્યું. ડંકાનિશાન ગડગડ્યાં. હવે તે વખતે પવનજિત યુદ્ધમાં જવા નીકળ્યા. આખું ગામ પવનજિતને વિદાય આપવાની તૈયારી કરી રહ્યું છે. પવનજિત માતાપિતાને નમ્યા. ભાઈભોજાઈને મળ્યા. સહુ સગાંવહાલાંને ભેટ્યા, એક અંજના સામું ન જોયું. પવનજિત રણમેદાને ચાલ્યા. અંજના કચોળું લઈને સામી આવી, અને પવનજિતના ચરણમાં પડી કહેવા લાગી : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005463
Book TitleMahasati Anjana Sati Chandanbala
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy