SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૪ વાતમાં કહીશું. પવનજિત રાજપાટ ભોગવે છે ને હનુમાનનાં પરાક્રમ સાંભળીને રાજી થાય છે. કેટલાંક વર્ષો અંજના તથા પવનજિતે સુખમાં પસાર કર્યાં. એક વખત રાત્રિના પાછલા પહોરે અંજના પોતાના જીવનનો વિચાર કરે છે. તેને લાગ્યું કે હવે સંયમ લઈને આત્માનું કલ્યાણ કરીએ. તેણે પોતાનો વિચાર પવનજિતને જણાવ્યો. પવનજિત કહે, હજી તો આપણે નાના છીએ. થોડાં વરસો પછી સંયમ લઈએ. અંજના કહે, “સ્વામીનાથ ! કોણ જાણે છે, આપણું આયુષ્ય કેટલું છે. ધર્મના કામમાં ઢીલ ન કરવી.’ પવનજિતને અંજનાની સમજાવટથી વૈરાગ્ય થયો. બંને દીક્ષા લેવા તૈયાર થયાં. હનુમાનને અંજના પર ઘણો જ પ્રેમ છે. તે માતાને રજા આપવા તૈયાર નથી. અંજનાએ તેને કહ્યું : “બેટા ! માતાપિતા ને બધો પરિવાર આ જીવનનો જ સંબંધી છે. એના મોહમાં આત્માને ન વિસારવો. તું સંસારમાં રહેજે, ને સંસારને શોભાવજે. સતિયાંની વહારે ધાજે.’ આટલું કહી પતિ-પત્ની રાજપાટ છોડી જંગલ તરફ ચાલી નીકળ્યાં. વાહ રે સતી અંજના ! પોતાનું સુધાર્યું ને પતિને તાર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005463
Book TitleMahasati Anjana Sati Chandanbala
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy