SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જગડુશાહ તેમણે ત્રણ વખત મોટા સંઘ કાઢી પવિત્ર તીર્થ શત્રુંજયની જાત્રાઓ કરી. ભદ્રેશ્વરનું મોટું દેરું બંધાવ્યું. બીજાં પણ નાનાંમોટાં ઘણાં દેરાંઓ બંધાવ્યાં. કહેવાય છે કે તેમણે કુલ એકસો ને આઠ દેરાં બંધાવ્યાં. આ ઉપરાંત તેમણે ભદ્રેશ્વરમાં ખીમલી નામની મસ્જિદ ચણાવી છે. તમે પૂછશો કે જગડુશાહ જેવાએ મસ્જિદ કેમ ચણાવી હશે? કારણ એમ છે કે જગડુશાહ મોટા વેપારી હતા. તેમને ત્યાં દેશોદેશના વેપારીઓ આવતા. તેમાં ઘણા મુસલમાનો પણ હતા, તેમને પોતાની બંદગી કરવાની બહુ અડચણ પડતી. મહેમાનોને અડચણ પડે તો પોતાનો ગૃહસ્થ ધર્મ લજવાય, એટલે તેમણે એક મસ્જિદ ચણાવી. બધા મુસલમાન ત્યાં જતા અને ખુદાની બંદગી કરતા. ગુજરાતના કુબેર જગડુશાહ આ પ્રમાણે ઘણાં કામ કરી સ્વર્ગે ગયા. આ સમાચાર સાંભળી આખા દેશને દુઃખ થયું. રાજાઓની આંખમાંથી પણ આંસુ પડ્યાં. એમના ભાઈઓએ ખૂબ શોક કરવા માંડ્યો, પણ ગુરુના ઉપદેશથી તે શાંત થયા. આ કાળમાં જગડુશાહ જેવો કોઈ દાનવીર થયો નથી. ધન મળો તો જગડુશાહ જેવી ભાવના મળજો, એના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005462
Book TitleRaja Shripal Sheth Jagdushah
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy