SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૬ આ દુકાળ ત્રણ વરસ ચાલ્યો. એમાંયે તેરસો ને પંદરની સાલે તો આડો આંક વાળ્યો. પનરોતરાને નામે એ દુકાળ ઓળખાય છે. કહેવાય છે કે એના જેવો દુકાળ ત્યાર પછી કોઈ વખત પડ્યો નથી. પાવલીના તેર ચણા મળતા એવી તો તે વખતે મોંઘવારી. છોકરાં શેકીને ખાવાના દાખલા પણ એ જ વખતે બનેલા. ઘાસ ને પાંદડાં ખાઈને લોક જીવતું. આવા ભયંકર દુકાળમાંથી બચાવવાને જગડુ શાહે દેશોદેશના રાજાઓને અનાજ ધીર્યાં. કોઈને બાર હજાર મૂડા, કોઈને એકવીસ હજાર મૂડા તો કોઈને બત્રીસ હજાર મૂડા. એ પ્રમાણે નવ લાખ ને નવાણું હજાર મૂડા અનાજ જગડુશાહે રાજરજવાડાંઓને ધીર્યું. પણ દિલાવરનો દિલગજો કાંઈ એટલેથી જ અટકે ? એણે એકસો ને બાર તો સદાવ્રત શાળાઓ માંડી. ત્યાં હંમેશાં પાંચ લાખ માણસ ભોજન કરતા. આ વખતે તેણે એટલું છૂટા હાથે દાન કર્યું કે લોકો તેને કુબેર કહેવા લાગ્યા. ધન્ય છે જગડુશાહ તારી આ ઉદારતાને ! જગડુશાહની આ ઉદારતાએ આખા જૈન ધર્મને દીપાવ્યો. લોકો જાણતા થયા કે સાચા જૈન કોણ કહેવાય. જૈન એટલે જગતભરની દયા પાળનાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005462
Book TitleRaja Shripal Sheth Jagdushah
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy