________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧.૮
ت
ن
.
.ت
.ن.ت.ن
રળિયામણો મગધ દેશ. તેના પર મહારાજા શ્રેણિક રાજ્ય કરે. તે પણ ખૂબ પ્રતાપી, ખૂબ બળવાન. તેમણે આ કન્યાઓનાં રૂપગુણ સાંભળ્યાં. એટલે એક કન્યાની માગણી કરી.
રાજા ચેટકે જવાબ આપ્યો : “હે રાજા ! તમારું કુળ અમારાથી ઊતરતું છે એટલે અમારી કન્યા નહિ મળે.” રાજા શ્રેણિકને આ જવાબથી ખોટું લાગ્યું.
વસંતના દિવસો આવ્યો. કુદરત આનંદે ઊભરાવા લાગી. બન્ને બહેનો હિંડોળા પર બેઠી છે. અંદર અંદર વાતો કરે છે. સુજ્યેષ્ઠા કહે, “ચલ્લણા ! કેવા રૂડા વસંતના દિવસો છે ? ચલ્લણા કહે, “બહેન ! એમાં પૂછવું જ શું? આખી કુદરત
સંગીતથી જ ઊભરાય છે. આ જોઈ મને એમ જ થાય છે કે હું પણ આખો દિવસ ગાયા જ કરું.’
સુજ્યેષ્ઠા કહે : “વાહ, કેવો સુંદર વિચાર ! ચલ્લણા ! તારા મધુર ગીતથી કુદરતનો આનંદ વધશે. માટે જરૂર એક સુંદર ગીત ગા.' ચલ્લણાએ ગાવા માંડ્યું -
(દેશી – હું તો ઢોલે રમું ને હરિ સાંભરે રે.) સખી ! આવ્યાં વસંતનાં વધામણાં રે. મારાં હઈડાં ફૂલી ફૂલી જાય રે. આવ્યાં...૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org