SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી ૨- ૧૦ બાંધનારા. એના પૂર્વજો વીરદેવ, યક્ષનાગ ને અશ્વેસર કોઈ જૈન સાધુના ઉપદેશથી શ્રાવક બનેલા. તીર-કમાનનો-હિંસાનો ધંધો છોડી, ત્રાજવા-કાટલાંનો ધંધો લીધો, પણ ક્ષત્રિયોને એમ કંઈ ઝટ ધંધો આવડે ? રાજકાજ એવાં થયાં કે ધીરે ધીરે શ્રીકરણ (દાણ લેનારા)માંથી પણ ગયા, સામાન્ય વેપારી બની ગયા. આ પૂર્વજોનો વારસદાર દીનહીન ઉદો! પગમાં પહેરવા જોડા નહિ તો ચઢવા ઊંટ કયાંથી હોય ! ટૂંકી પોતડી, જૂનું અંગરખું ને લઘરવઘર પાઘડી : આ એનો પોશાક. ઉદો ઘીનો વેપાર કરતો. બળ ને બુદ્ધિમાં એ ઓછો ન હતો, પણ જમા-ઉધારનાં બે પાસાં સરખાં કરી ન શકતો. જેમ જેમ એની ગરીબાઈ વધતી ગઈ, એમ એમ ઉદાની મહત્ત્વાકાંક્ષા વધતી ગઈ. એ મુસીબતો જોઈ હાર્યો નહિ; બેવડી હિંમતથી મુશ્કેલીઓ સામે લડવા લાગ્યો. ભારે ભડ પુરુષ ! એ જવાન ઉદો મારવાડી એક વાર ઘી ઉઘરાવવા નીકળ્યો. માથે ઘીનો ગાડવો હતો. ખભા પર ધનુષ્યબાણ હતાં. રાત અંધારી હતી. ખેતરને શેઢે થઈને એ જતો હતો. અચાનક એની નજર કોઈના ખેતરમાં પાણી વાળતા માણસો ઉપર ગઈ. ઉદાને લાગ્યું કે આટલી રાતે કોણ પાણી વાળે ? નક્કી આ કોઈ હેરુ હશે. એણે બાણ ચઢાવી પડકાર કર્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005457
Book TitleMantri Vimalshah Mahamantri Udayan
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy