SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જેન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૧૦ . . . .. . રાજકાજમાં સલાહો લેવાવા લાગી. લોકોએ તેમને મંત્રીનું બિરુદ આપ્યું. પાટણના મહાજનના અગ્રેસરોમાં પણ ઉદયન શેઠ આગળ પડતા થયા. એવામાં રાજા કર્ણ અચાનક ગુજરી ગયા. એમના વારસદાર કુંવર જયસિંહ બાળક હતા. રાજા બાળક હોય ત્યારે સ્વાભાવિક રીતે રાજખટપટની ભૂતાવળો જાગે. આમાં ઉદયન મહેતાએ મહારાણીને સાથ આપ્યો. ઉદયનની બુદ્ધિએ ઘણો માર્ગ સરળ કરી દીધો. ઉદયન મંત્રીનાં માન વધ્યાં. પાટણના રાજાને સોરઠના ધણી રા'ખેંગાર સાથે લડાઈ થઈ. લડાઈ તે કેવી ! વરસો વીતી ગયાં, પણ ગઢની કાંકરી ન ખરે ! બળિયા રાજા સધરા જેસંગની તો આબરૂ જવા બેઠી. એ વેળા મહામંત્રી ઉદયને બીડું ઝડપ્યું. ભયંકર લડાઈ થઈ. મહામંત્રી ઉદયનની બહાદુરી અને બાહોશીથી સોરઠ સર થયું. મહારાજ જયસિંહદેવના ચાર હાથ એમના ઉપર થયા. ખંભાત જેવા બંદરની સરનશીની એમને મળી. ખંભાત એટલે ચોરાશી બંદરનો વાવટો! મહામંત્રી ઉદયન ખંભાતના બેતાજ બાદશાહ બન્યા. એ વેળા આચાર્ય દેવચંદ્રસૂરિ ત્યાં વિહરે. તેમની સાથે એક મોઢ બાળક. બાળકને એની મા પાસેથી ધંધૂકાથી માગી લાવેલા. ગુરુદેવ કહેતા હતા કે આ બાળક ક્ષત્રિય કુળમાં પેદા થયો હોત તો ચક્રવર્તી થાત; વણિક કુળમાં પેદા થયો છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005457
Book TitleMantri Vimalshah Mahamantri Udayan
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy