SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ મહામંત્રી ઉદયન ૧૧ લાછી શ્રાવિકા કહે: ‘જેની જમીન એનું ધન; મારે કાંઈ લેવાદેવા નહિ.” ખૂબ રકઝક ચાલી. આ વાત કર્ણાવતીમાં ફેલાતી ફેલાતી રાજદરબારમાં પહોંચી, પણ ઉદયન તો એક જ વાતને વળગ્યો હતો : “એ ધન લાછી શ્રાવિકાનું !' આખરે એ ધનથી જિનમંદિર બાંધ્યું. લોકો એ મંદિરને ઉદયનવિહારને નામે ઓળખવા લાગ્યા. પ્રજાને લાગ્યું કે ઉદો શેઠ પ્રામાણિક છે. એટલે એમનો ધંધો ખૂબ વધી ગયો. બુદ્ધિ અમાપ હતી, ધન અમાપ મળી રહ્યું. ઉદયનની શક્તિના ચમકારા બધે ફેલાવા લાગ્યા. સહુને થાય તેવી ઇચ્છા એ વેળા ઉદયનને થઈ. રાજકાજમાં પડું ને નામ કાઢું ! જે ધર્મે પોતાને તાર્યો એ સ્વધર્મ કાજે કાંઈ કરી છૂટું ! આ માટે પાટણ શહેર યોગ્ય હતું. ગુજરાતની એ રાજધાની હતી. એણે ધંધોધાપો સમેટી લીધો ને ગુજરાતના પાટનગર પાટણ ભણી રવાના થયો. પાટણ તો અલબેલું નગર. લાખોપતિના આવાસે લાખના હિસાબે દીવા બળે. કોટિધ્વજોની ધજાઓ ફરકે. રાણી મીનળદેવી ભારે ચતુર, ન્યાયી ને નરરત્નની પરીક્ષા કરનારી સ્ત્રી હતી. એણે આ નવા રત્નને પારખી લીધું. ઉદયનની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005457
Book TitleMantri Vimalshah Mahamantri Udayan
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy