________________
૧૨
વિદ્યાથી વાચનમાળ–૮
હિંદી ખાંડ તૈયાર કરાવી, તે હિંદી ઘરમાં ફેલાવવાની યોજના કરી.
હિંદુસ્તાનમાં વિદેશથી ૨૨ કરોડ રૂપિયાની ખાંડ આવતી હતી. એ ખાંડની કિંમત તરીકે આપવા પડતા ર૨ કરોડ રૂપિયા જેવી બાદશાહી રકમ વિદેશ ખાતે મોકલવી પડતી હતી. આ રકમથી અહીં ખાંડ તૈયાર થાય, તે તેથી અનેક ફાયદા હતા. હિંદીઓની મૂડી રોકવાને તેથી યોગ્ય ક્ષેત્ર મળતું હતું. હિંદી કારીગરોને અને મજુરોને રોજી પણ મળે એમ હતું અને હજારિની રકમ વિદેશ જતી બચી જાય એમ હતું. આવા બધા વિચારે તેમણે શેરડીમાંથી ખાંડ બનાવવાને ઉદ્યોગ આરંભી દીધે.
જમાલ શેઠ જબરા સાહસિક હતા. એક વાત વિચાર્યા પછી તેને કદી ત્યાગ કરતા નહિ. ખાંડ ઉદ્યોગ હાથમાં લેવાની તેમની ઈચ્છા થઈ, એટલે તરત જ તેમણે તેને લગતી મશીનરીને ઓર્ડર આપે, અને વિલાયતથી સેંકડો રૂપિયા ખરચીને સઘળે સરંજામ મંગાવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org