________________
૭૦
કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ'
રાય પસાય જોઈ ઈ જેણી વેલા, તવ ઉતારો નેહો; તો સુત ન રહઈ પણિઈ થાનકિ, રીદય વિચારો એવો રે ... ૩૩૫ મવામી. એક પ્રતિ ઘો વસતુ સુખડી, એક પ્રતિ ઘો ગાલો; એમ અંતર નવિ કીજઈ સ્વામી, સરખે નયણે નિહાલો રે ... ૩૩૬ સ્વામી. પુત્ર સુપુત્ર હોઈ જે સખરો, તાત વચન નવિ લોપઈ; કુટક વચન બોલઈ ગુરૂ ક્યારઈ, ઉત્તમ શિષ્ય નવિ કોપઈ રે .. ૩૩૭ સ્વામી. માય તાત ગુરૂ ભૂપતિ કે, જવ લહીઈ અપમાનો; દેસ નગર પુર લવ ઠંડી જઈ, જો કાંઈ હઈડઈ સાનો રે ... ૩૩૮ સ્વામી. તુમ ઉપમાન હવું મુઝ ઉપરિ, તવ લીધો પરદેસો રે; તાત વચન સિર ઉપરિ ધરતાં, સકલ વસ્ત લહેસ્યો રે ... ૩૩૯ વામી. એક શત પગનો નાથ ખરજૂરો, કબી એક ત્રુટો એકો; કસિઉં કાજ અડઈ નહીં પંથિ, આણઈ પ્રથવી છેકો રે .... ૩૪૦ સ્વામી. તિમ તમ બેટા થઈ એકસો, બહુ બુધ્યવંતા રવામ્યો; એક મુરિખ શ્રેણિક અહી આવી, કસ્યઈ આવસઈ કામ્યો રે ... ૩૪૧ સ્વામી. અસ્સો લેખ લખી પાઠવતો, પ્રસેનજીત નઈ ત્યાંહિ; વાંચતો લોચન બે ઠરી, ખુશી થયો તે મનમાંહિં રે ... ૩૪ર સ્વામી. વચન તણી ચતુરાઈ દેખી, હરખ્યો પ્રથવી ભૂપો; સભામાંહિ પ્રસસ્યો સુત નઈ, દેખી વિનય સરૂપો રે ... ૩૪૩ સ્વામી. પુત્ર નવાણું એણી પરિ બોલઈ, કીજઈ અમનિ સનાથો; શ્રેણિક ભાત તણઈ તેડાવો, પેખી સખરો સાથો રે ... ૩૪૪ સ્વામી. સાંગણ સુત કહઈ નગરી નરપતિ, પુનરપિ લેખ લખતો;
અંતિ પ્રભવ્યો રોસ ન રાખઈ, જે ઉત્તમ ગુણવંતો રે ... ૩૪પ રવાણી. અર્થ :- (મહારાજા પ્રસેનજિતે પુત્રને પત્ર લખ્યો. સુમંગલ નામના વિશ્વાસુ દૂત સાથે મોકલાવ્યો) તેમણે પત્રમાં સમસ્યા ઉપરાંત લખ્યું કે, “ભયાનક વિકરાળ જંગલી કૂતરાઓ ધસી આવ્યા, ત્યારે ખીરની થાળીઓ તેની સમક્ષ ધરી તેં શાંતિથી ખીર ખાધી. તે રીતે બીજીવાર મીઠાઈના ભરેલા બાંધેલા કરંડિયામાંથી તેં મીઠાઈ ખાધી. તે મુખ બાંધેલા માટલાને કપડું વીંટી ઝમતું પાણી પીધું. (તેં તારા ભાઈઓને પણ ખવડાવી પીવડાવી સંતુષ્ટ કર્યા.) આવો હોંશિયાર અને શૂરવીર પુત્ર પરદેશ જશે પણ અહીં નહીં રહે એવી મને ખાતરી હતી...... ૩રર
હે પુત્ર! તું મને મળવા જલ્દીથી અહીં આવ. પુત્ર મારાં કડવાં અને તીક્ષ્ણ વચનોથી તારું દિલ દુભાયું છે, તે હું જાણું છું. પુત્ર! મારા વચનોનું તું દિલમાં માઠું ન લગાવીશ. તું જેમ બને તેમ જલ્દીથી અહીં પાછો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org