________________
૩૮)
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
ર૧૮
૨૨૧
૨૨૨
પડઈ અજા અરિ સનાહ લીધા રે, કેતા હતી બંધન કીધારે; અસી કલા છઈ ઉદયનમાંહિ રે, તે કિમ સીખ્યો ભાખું આંહિ રે ... શતાનીક કોસાંબી રાઈ રે, મૃગાવતી પટરાણી થાઈ રે; હુઈ ગાભણી નારી જ્યારઈ રે, ડોહલો દુલભ ઉપનો ત્યારી રે
... ૨૧૭ દીઠી દૂબલી મૃગાવતી નારી રે, કવણ દૂખિં હુઈ એમ બીચારી રે; આણી રુધીર ને વાવિ ભરાવો રે, પ્રીલ મુઝ તેહમાં ધરી ઝીલાવો રે ગરભ ભાવ વીચારે રાઈ રે, સુત બલવંત પ્રતાપી થાઈ રે; વાવિ કુસુંભ છે રાય ભરાવઈ રે, ઝીલે અબલા નારી ગાવઈ રે ... ૨૧૯ ઝીલી નીકલી જવ તે રાણી રે, મંશ પીંડિ સરીખી તે જાણી રે; ભારંડ પંખીઉં આવી ગ્રહતો રે, આકાશ મારગિં પંખી વિહેતો રે '.. ર૨૦ મૃગાવતી તવ ગાઢ રોતી રે, જઈ સતાનીક સામો જોતી રે ધાયા સુભટ નર સબલા કેંડિ રે, આકાશ ગામી ચાલ્યો વેંઢિ રે પડયો સતાનીક રુદન કરતો રે, ભારંડ પંખી ગમન કરતો રે; મણિ આચલ ભણિ ચાલ્યો જાઈ રે, ચંદન વનમાંહિં પડતી ત્યારઈ રે વિશ્વભૂતિ તાપસ કહુ જેહો રે, વન પહુતો એકદા તેહો રે; મૃગાવતી દીઠી તેણઈ ઠારો રે, છાંટયો અંગઈ સીતલ વારો રે
.. રર૩ રાય રહ્યો મન દુખ ધરતો રે, તવ પુકારંઈ સોર કરતો રે; વારઈ યુગંધર તસ પરધાનો રે, રોતું રાય કરો કઈ સાનો રે
..૨૨૪ થઈ સચેતન નારી જ્યારી રે, અહિંન કહી બોલાવી ત્યારે રે;
સતી કહઈ સાંભલિ નર રાજ રે, કરમ ઉદઈ આવ્યા મુઝ આજ રે ... રર૫ અર્થ:- એવા કૃતજ્ઞી વ્યક્તિઓનું હું ત્રણે કાળ સ્મરણ કરું છું. અભયકુમાર જેવા પરોપકારી વ્યક્તિઓ આ જગતમાં કોઈ નહીં હોય. ચંડપ્રદ્યોતનરાજા અભયકુમાર પ્રત્યે રંજીત થયા. તેમણે તે સમયે પ્રસન્ન થઈ અભયકુમારને કહ્યું, “મંત્રીશ્વર!તમારા મનમાં જે ઈચ્છા હોય તે માંગો' (અભયકુમારે કહ્યું, “રાજન્! મને નજરકેદમાંથી મુક્ત કરી રાજગૃહીમાં જવા દો')
...૨૦૯ ચંડપ્રદ્યોતનરાજાએ કહ્યું, “અભયકુમાર!તમે એક વચન આજે ન માંગશો. હું તમને નહીં જવા દઉં તમારું અહીં કામ છે.” અભયકુમારે કહ્યું, “તો એ વરદાન થાપણ તરીકે તમારી પાસે રહેવા દો, જ્યારે સમય આવશે ત્યારે વિચાર કરી પછી માંગીશ''
..૨૧૦. ઉજ્જયિની નગરીમાં રહી અભયકુમારે ઘણાં અસાધ્ય કાર્યો સુગમ બનાવ્યા. ચંડપ્રદ્યોતનરાજ ક્ષણે ક્ષણે અભયકુમારને પ્રશ્નો પૂછી તેમની સલાહ લેતા હતા. રાજાની એક સુંદર અને આનંદી દીકરી હતી, જેનું નામ વાસવદત્તા હતું.
...૨૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org