SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ માર્ગોમાં પાનસર ગામે પં. કેશવરામે દીક્ષા ગ્રહણ કરી, (વિ. સ. ૧૮૪૮, કારતક) ખંભાતના શ્રી સધે દીક્ષાઉત્સવ કર્યાં, પ. કેશવરામ મુનિ વીરવિજય બન્યા. તે પેાતાના ગુરુભાઈ ધીરવિજયજી ને ભાણુવિજયજી સાથે સયમ ને સ્વાધ્યાયમાં આગળ વધ્યા. અંદર સંસ્કાર તેા પડયાજ હતા, જરાક ઉષ્મા મળતાં અંતરની ઉપર ભૂમિને ભેદીને હરિયાળીરૂપે બહાર આવ્યા. કવિત્વનું ઝરણુ ફૂટયું; એ કવિત્વને સંયમ, તપ ને ભક્તિનું ગાન ભાગ્યું. સં. ૧૮૫૮માં કવિશ્રીએ સુરસુ ંદરી રાસ, નેમિનાથ વિવાહલા ( રવાહના ગરબા ) ને સ્થૂલિભદ્રજીની શિયળવેલ રચી, પેાતાના ગુરુ શુભવિજયજીનું ચરિત્ર ‘ શુભવેલી ’ નામથી રચ્યું. આ પછી અમદાવાદથી તે ગુરુ સાથે વડાદરા ગયા. ત્યાં યાગ વહેવરાવી ગુરુએ તેઓશ્રીને પન્યાસપી વિભૂષિત કર્યાં. સં. ૧૯૬૦, રાગણ સુદ ૧૨. આ પછી તેઓએ સુંદર કવિત્વ પમરાવતા લીંબડી, વઢવાણ, ભરૂચ, સુરત ને મુંબઈ સુધી વિહાર કર્યાં, કવિમયૂર પેાતાની કેકાથી સમાજને આવ્લાદિત કરી રહ્યો હતાં. એ વખતે યતિવનું પ્રાભક્ષ્ય ધણું હતું. સુરતમાં એક યતિ સાથે ઝઘડા થયા. ઝધડા તિથિનેા હતેા, એમાં કવિવરે એવા સુંદર વાદવિવાદ કર્યા કે એથી રાખીવાળેા (અંગ્રેજ) રાજી થયા, ને સુરતમાં તેએએ નિવાસ કર્યાં. આ પછી તેઓ રાજનગરમાં આવ્યા. આ વખતે શ્રી સંઘે ભઠ્ઠીની બારી પાસે પેાધશાળા નિર્માણ કરી. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy