________________
પિષધશાળામાં તેઓશ્રી રહ્યા. આજે પણ એ સ્થાન વીરના ઉપાશ્રય તરીકે વિખ્યાત છે.
સં. ૧૮૭૦ માં એમણે શાસ્ત્ર પ્રમાણથી પ્રતિમાસિદ્ધિ કરીને પ્રતિમાના વિરોધીઓને રાજદરબારમાં ઝાંખા પાડ્યા. આ વિવાદસભામાં ભુજ, ખેડા, અમદાવાદના જાણીતા પંડિત ને નાગરિકે ઉપસ્થિત રહ્યા હતા
રાજનગરના જાણીતા શેઠ હઠીસિંગ કેસરીસિંઘે અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર ભવ્ય જિનાલય સ્થાપન કર્યું. પ્રતિષ્ઠા અગાઉ એકાએક ભાવભર્યા શેઠશ્રી ગુજરી ગયા. તેઓનાં બાહેશ ધર્મપત્ની હરકુંવર શેઠાણીએ દીનાનાથ જોશી પાસે મુહૂર્ત કઢાવ્યું, ને પં. શ્રી. વીરવિજયજી મહારાજે અંજનશલાકા કરી. (સં. ૧૯૦૩, માડ વદિ ૧૧)
વિ. સં. ૧૮૮૭ માં કવિશ્રીએ બાર વ્રતની પૂજા અમદાવાદમાં ભઠ્ઠીની બારીની પાસે આવેલી પિષધશાળામાં રહીને રચી, અને ભણવી
સં. ૧૯૦૮ ના ભાદ્રપદ વદિ ૩ ના દિવસે વિદ્વાન કવિ મુનિરાજ અમ ાવાદમાં કાળધર્મ પામ્યા.
પંન્યાસજી પ્રખર વિદ્વાન હતા, અને કવિ હતા. બાર વ્રતની પૂજાની ઢાળોમાં તેઓએ આખા ઉપાસકદશાંગ સૂત્રને ગૂંથી લીધું છેઃ એમ પ્રાચીન પૂર્વપુરુષનાં ચરિત્રો પણ તેમાં ગૂંચ્યાં છે. તેઓએ રચેલી થોડીએક કૃતિઓનો નામોલ્લેખ કરીને આપણે સંતોષ લઈશું. આજનો કોઈ અભ્યાસી પં. વીરવિજયજીની પૂજાઓ, રાસાઓ અને સ્તવને પર એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org