SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આજના જીવન–વ્યવહાર જે મોટે ભાગે જૂઠથી ચાલે છે, એને માટે કવિનો આ ટેણો કેવો વેધક છે ! માણસને સ્વસ્થ, શાન્ત ને તંદુરસ્ત રાખનારા જીવનના અનેક આચારે ને વ્યવહારને આપણું પ્રતાપી પૂર્વ– પુરુષોએ ધર્મમાં સામેલ કરી દીધા છે. એની શુદ્ધિ માટે કવિ જ્યાં ત્યાં અંગુલિનિર્દેશ કરે જ છે. રાતે ન જમવું, વાસી ન ખાવું, રથ–ધેડાની વ્યર્થ શરતમાં ન ઊતરવું, ખેટી સાક્ષી ન આપવી, ક્રૂડા તેલ–માપાં ન રાખવાં. અરે, એ વસ્ત્રોના વિવેકની બાબતમાં પણ કથે છે કે – અતિ ઉભટ વેશ ન પહેરીએ રે લોલ! નહિ ધરીએ મલિનતા વેશ જે.” એક એક વ્રત અને એના અતિચારો વિષે થોડી વાત પણ વિગતથી ચર્ચવા જઈએ, તે ખાસ્સો એક મહાગ્રંથ તૈયાર થાય તેમ છે. એટલે અજબ સારરૂપ વાણીમાં આ પૂજાઓ રચીને, જીવનના ધોરી માર્ગ અને એનાં જોખમ સામે લાલબત્તી દેખાડનાર મનમીઠા કવિ મયૂરને જ ટહુકવા દઈએ. અમે તે એમની મસ્તભાવભરી બેચાર ગીતપંક્તિઓને યાદ કરીને વિરમીશું: નહિ વાર અચળ સુખ સાધતે, ઘડી દય મળે જે એકાતે!” હે પ્રભુવર ! ઉરના એકાંતમાં આપ બે ઘડી જેટલા વખત માટે પણ પગલાં કરે, તે મુક્તિસુખસાધના કંઈ બહુ દૂર નથી ! ભક્તની સાક્ષાત્કારની કેવી તમન્ના! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy