SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી સટ વાત કરે છે ! એ બ્રહ્મવતને સર્વ વ્રતોમાં દીપક સમાન વ્રત કહે છેઃ અને સ્વદારાસંતોષી પુરુષને એ બ્રહ્મચારી ગૃહસ્થ કહે છે. આ વ્રતને મહિમા ગાતાં કવિ કહે છે? “સર્વ થકી જે બ્રહ્મવ્રત પાળે, નાવે દાન હેમ કટી. એ વ્રત જગમાં દીવે, મેરે પ્યારે !” સમાજમાં સુચારિત્ર્ય પાસે કરડે સુવર્ણદ્રગ્સના દાનની કંઈ પ્રતિષ્ઠા નથી, પહેલું સુચારિત્ર્ય ને પછી સુવર્ણ દાન એ વાત કવિ ભારપૂર્વક નેધે છે ! અનર્થદંડ, જે આજના યુગનું વ્યાપક લક્ષણ થઈ પડયું છે, એ તરફ કવિ લક્ષ દેરતાં કહે છે: “ઉપદેશ મેં પાપને દાખીએ, કૂડી વાતે થયો હું સાખિયે જી રે !” બીજા વતની ત્રીજી પૂજામાં કવિ કહે છે: “માંસાહારી કરતાં મૃષાવાદી ભૂડ ને નીચ !” સત્યની આ પ્રતિષ્ઠા માટે તેઓ દૃષ્ટાંત આપતાં કહે છે : એક ચંડાળ સ્ત્રી, અને તે પણ માંસાહારી એ પિતાને બેસવાનું સ્થાન જળ છાંટીને શુદ્ધ કરતી હોય છે. એ વેળા ભાનુ નામને પંડિત આ ચખલિયાડા માટે એ પરમાટી ખાનારી ચાંડાલિકાને પ્રશ્ન કરે છે: “શું કરે છે તું! ચાંડાલિકા કહે છે: “હું જૂઠા માણસના પગ અહીં પડ્યા હેય ને આ જગ્યા અશુદ્ધ થઈ હોય તે જળ છાંટી શુદ્ધ કરું છું.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005448
Book TitleBar Vrat ni Pooja
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1963
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy