________________
પૂજાઓ રચી : ૧. પંચકલ્યાણકની પૂજા. ૨. અષ્ટપ્રકારી પૂજા, ૩. નવ્વાણુપ્રકારી પૂજા, ૪.બાર વ્રતની પૂજા, ૫. પિસ્તાલીસ આગમની પૂજા, કે.એસઠ પ્રકારી પૂજા વગેરે. તેઓની રચેલી સ્નાત્ર-પૂજા પણ મળે છે, જે આ ટ્રસ્ટ તરફથી પ્રગટ થઈ છે. - પ્રસ્તુત બાર વ્રતની પૂજા ઉક્ત કવિરાયની કૃતિ છે. એ વ્યવહારશુદ્ધિનો અરીસે . એમણે જે જે ભયે સામે લાલબત્તી ધરી છે, એ આજના યુગમાં ચર્ચાનો વિષય નથી રહ્યો, બલકે હાથક કણ જેટલે સ્પષ્ટ થયું છે. વ્યવહારશુદ્ધિ ધરાવનાર માણસનાં વાણી, વર્તન ને વિચાર ઉપરાંત દેશની યથાર્થતા તરફ પણ કવિવરે લક્ષ ખેંચ્યું છે. એમણે કેટલીક વ્યાખ્યાઓ એટલી બધી સ્પષ્ટ કરી છે, કે જે આજે એથી વધુ સ્પષ્ટ કરવી શક્ય નથી : ચેરી માટે એક ટૂંકું સૂત્ર એમણે આપ્યું છે: રાજદંડ ઉપજે તે ચોરી !
નાડું, પડયું વળી વિસરીએ.” જે ઉદ્યમ કે ઉદ્યોગને રાજ્ય અપરાધ લેખે અને દંડ કરે, એનું નામ ચેરી ! કેવી ટૂંકી ને ટચ વ્યાખ્યા! આગળ પારકાનું ધન ગમે તે રીતે પિતાનું કરનાર ગૃહસ્થને કવિ કહે છેઃ
પરધન લેતાં પ્રાણ જ લીધા,
પંચેન્દ્રિય હત્યા વરીએ.” પારકાનું ધન હરી લેવું–પ્રાણહત્યા બરાબર પાપ બતાવ્યું છે! અને બહુ ગવાયેલા બ્રહ્મવતના વિષયમાં ટૂંકાણમાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org