________________
આ મુ ખ
છે
વ્યવહાર-શુદ્ધિને અરીસે
એ કવિ ધન્ય છે, જે પ્રભુની ભક્તિથી સભર ઉધારક ગીતિ રચે છે!
એ ગીતકાર ધન્ય છે, જે સુમિષ્ઠ કંઠે આ પ્રેમરસનો પાલે પોતે પીએ છે, ને અન્ય સહુને પાય છે !
એ શ્રેતાઓને ધન્ય છે, જેનાં શ્રવણ, જિહવા ને મન આ ભક્તિરસના પાનથી રંગમછઠ બને છે!
એ વિદ્વાનને ધન્ય છે, જેઓએ સે ટચના સુવર્ણ પાત્રમાં ટકનારી, સિંહણના દૂધ જેવી આગમવાણીને લેકકલ્યાણ કાજે સરળ ભાવ ને સુસંવાદી અર્થમાં અવતારી છે !
આ ધન્યતાના ઉચ્ચારનું આજે સહુથી વિશેષ કારણ છે.
અત્યારે સંસારની શેરીઓ નિતની વઢડથી વ્યાકુલ બની બેઠી છે. બાર બાર બૂરા પાડોશીઓ ચારે તરફથી માનવીને ઘેરી રહ્યા છે. એને દ્રવ્યમાં શાંતિ નથી, કીર્તિમાં શાંતિ નથી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org