________________
ગિરિનગર દાર્જિલિંગ
અહીંની સ્થાયી વસ્તી આલી મોટી હોવાને કારણે દાર્જિલિંગ બીજા ગિરિનગરથી કેટલીક રીતે જુદુ પડે છે. આ ગિરિનગરમાં બાલમંદિરે ઘણું છે. શાળાઓ પણ એટલી જ, અને કોલેજો પણ સારા પ્રમાણમાં, એથી એ એક કેળવણીન કેન્દ્ર બની ગયું છે. દરદીઓ માટે હોસ્પીટલો, મુસાફરોની જરૂરીઆત માટે બજાર અને દુકાને અહીં ઘણી છે.
દાર્જિલિંગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૬પ૦૦ થી ૭૫૦૦ ફીટ સુધીની છે. આથી શહેરને કઈ ભાગ ઊંચાણમાં તો કોઈ નીચાણમાં છે. આટલી ઊંચાઈને લઈને હવા ઠંડી રહે છે. ઉનાળાના સખત તાપમાં અમદાવાદ, વડોદરા જેવાં આપણાં ગૂજરાતનાં શહેરોમાં ૧૦૦થી ૧૧૦ ડીગ્રી જેટલી ગરમી પડે ત્યારે અહીંયાં ૭૦ ડીગ્રી કરતાં વધારે ગરમી હોતી નથી. શિયાળામાં અહીં અતિશય ઠંડી પડે છે. ઠંડીનું પ્રમાણુ પ૦ ડીગ્રી જેટલું ઓછું થાય એટલે ગૂજરાતમાં તે હીમ પડવું શરૂ થાય, ખેતરોના ઊભા છોડ ઠંડીથી બળી જાય, પરંતુ એકટેબર મહિનો પૂરો થાય અને નવેમ્બરની શરૂઆત થાય ત્યાં દાર્જિલિંગમાં ઠંડી પડવા માંડે. શિયાળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org