SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૨ લશ્કર લઈને કુશસ્થળ જાઉં છું.' તરત જ લડાઈનાં નગારાં વાગ્યાં. લશ્કર બધું એકઠું થવા માંડ્યું. ૨૪ પાર્શ્વકુમાર મિત્રો સાથે આનંદ કરતા હતા. તેમણે લડાઈનાં નગારાં સાંભળ્યાં, લશ્કરની ધમાલ સાંભળી; અને એકદમ રમત પડતી મૂકી પોતાના પિતા પાસે આવ્યા. ત્યાં સેનાપતિઓને લડાઈ માટે તૈયાર થયેલા જોયા. એટલે પિતાને પ્રણામ કરીને પૂછ્યું : ‘પિતાજી, એવો કોણ શત્રુ છે કે જેના માટે આપ જેવા પરાક્રમીને આવી તૈયારી કરવી પડે છે ?” પિતાએ કહ્યું : ‘આ માણસના કહેવાથી પ્રસેનજિત રાજાને યવનરાજાથી બચાવવા જવાની જરૂ૨ પડી છે.' પાર્શ્વકુમારે બધી વાત સાંભળીને કહ્યું કે, તેની સામે આપને જવાની કાંઈ જ જરૂ૨ નથી. હું જ ત્યાં જઈશ.’ રાજા અશ્વસેન કહે, ‘પુત્ર ! મુશ્કેલીથી ભરેલી લડાઈમાં તને મોકલવો તે મારા મનને ઠીક લાગતું નથી. હું જાણું છું કે મારા પુત્રનું બળ અથાગ છે, પણ તે ઘરમાં રહીને આનંદવિનોદ કરે તે જ મને પસંદ છે.’ પાર્શ્વકુમાર કહે, ‘પિતાજી ! યુદ્ધ કરવું તે મારે મન આનંદવિનોદ જ છે. તેમાં મને જરા મહેનત પડવાની નથી. માટે આપ અહીં જ રહો ને મને લડાઈમાં જવાની આજ્ઞા આપો.’ પાર્શ્વકુમારના ખૂબ આગ્રહથી રાજા અશ્વસેને તેમની માગણી કબૂલ કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005443
Book TitleTirthankar Mahavir Tirthankar Parshwanath
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy