________________
તીર્થંકર શ્રી શાંતિનાથ
પોતાની પુત્રી રાજકુમારને આપવા આવ્યો. શ્રીકાન્તા ખૂબ સુંદર હતી.
ઇન્દુસેન કહે, હું એને પરણું.
બિંદુસેન કહે, નહિ. એમ ન બને. પરાક્રમીને જ એ વશે. આપણા પરાક્રમની આપણે પરીક્ષા આપીએ.
બંને ભાઈ મંડ્યા લડવા. બીજાઓને તો તમાશો જોવાનો થયો, પણ રાજા શ્રીષેણને ખૂબ દુ:ખ થયું.
અરે ! પતંગિયા જેવા આ મોહી પુત્રો પ્રજાનું કેવી રીતે પાલન ક૨શે ? લડીને તો પોતાનું ને રાજનું બંનેનું નુકસાન કરશે.
તેઓ ઇન્દુસેનને સમજાવવા ગયા, તો એ તાડુકીને બોલ્યો : ‘એના પિતાએ મને શ્રીકાન્તા આપી છે. તમને નાના ભાઈ ત૨ફ વધુ પ્રેમ છે, એટલે મને વારો છો. ભલે લડાઈ કરવી હોય તો હું તૈયાર છું.’
બિંદુસેનને સમજાવવા માંડ્યો : “ભલા, શ્રીકાન્તાના પિતાએ તમને લડાવી મારવા આમ કર્યું છે. સમજી જાઓ, ને શાંતિથી કામ લો.'
પિતાજી ! આપ વચ્ચેથી ખસી જાઓ. આ તો અમારા સ્વમાનનો સવાલ છે. લડાઈ વગર આનો નિકાલ નહિ આવે. બિંદુસેન ગર્વપૂર્વક બોલ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org