SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર શ્રી શાંતિનાથ પોતાની પુત્રી રાજકુમારને આપવા આવ્યો. શ્રીકાન્તા ખૂબ સુંદર હતી. ઇન્દુસેન કહે, હું એને પરણું. બિંદુસેન કહે, નહિ. એમ ન બને. પરાક્રમીને જ એ વશે. આપણા પરાક્રમની આપણે પરીક્ષા આપીએ. બંને ભાઈ મંડ્યા લડવા. બીજાઓને તો તમાશો જોવાનો થયો, પણ રાજા શ્રીષેણને ખૂબ દુ:ખ થયું. અરે ! પતંગિયા જેવા આ મોહી પુત્રો પ્રજાનું કેવી રીતે પાલન ક૨શે ? લડીને તો પોતાનું ને રાજનું બંનેનું નુકસાન કરશે. તેઓ ઇન્દુસેનને સમજાવવા ગયા, તો એ તાડુકીને બોલ્યો : ‘એના પિતાએ મને શ્રીકાન્તા આપી છે. તમને નાના ભાઈ ત૨ફ વધુ પ્રેમ છે, એટલે મને વારો છો. ભલે લડાઈ કરવી હોય તો હું તૈયાર છું.’ બિંદુસેનને સમજાવવા માંડ્યો : “ભલા, શ્રીકાન્તાના પિતાએ તમને લડાવી મારવા આમ કર્યું છે. સમજી જાઓ, ને શાંતિથી કામ લો.' પિતાજી ! આપ વચ્ચેથી ખસી જાઓ. આ તો અમારા સ્વમાનનો સવાલ છે. લડાઈ વગર આનો નિકાલ નહિ આવે. બિંદુસેન ગર્વપૂર્વક બોલ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005442
Book TitleTirthankar Shantinath Tirthankar Mallinath
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy