________________
તીર્થકર શ્રી મલ્લિનાથ
જૂના જમાનાની વાત છે. જ્યારે સહુ ખાધેપીધે સુખી હતાં. પહેરેઓઢે પૂરાં હતાં. ખેતરોમાં અન્ન ઊભરાતાં. નવાણોમાં નીર છલકાતાં. ન કોઈનું કોઈ ચોરી લેતું. અન્ન, વસ્ત્ર ને આબરૂ સહુને સહુજોગાં મળી રહેતાં.
એ કાળે થયાં એક રાજકુમારી. રૂપ તો દેહના ખોળિયામાં માય નહીં. ગુણ તો ગણ્યા ગણાય નહીં. માંડી મીટ તો મંડાય નહીં. મા-બાપનાં સાત ખોટનાં દીકરી. દીકરી તે પણ કેવાં? સાત જોધારમલ દીકરાઓની ભૂખ ભાંગે તેવાં.
એમનું નામ મલ્લિકા.
સીતા સતી જ્યાં પેદા થયાં, એ જ પવિત્ર મિથિલામાં તેઓ જન્મ્યાં. એમના જન્મથી પૃથ્વી વધુ પવિત્ર બની. મિથિલાના રાજા કુંભ એમના પિતા. રાણી પ્રભાવતી એમનાં માતા !
રાણીને મોટી ઉંમરે ઓધાન રહેલાં. અનેક સુંદર સ્વપ્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org