________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨.૧ ....... ... અજવાળાં થઈ રહ્યાં !
સહુ કહે : “આપણને શાંત થઈ, માટે નામ રાખો શાંતિનાથ !
શું રૂપ, શું ગુણ ! બધા કહે, રાજકુંવર ચક્રવર્તી રાજા થશે. છ ખંડ પૃથ્વી ઘેર કરશે.
શાંતિનાથ યશોમતી નામની કન્યા સાથે પરણ્યા. ચક્રાયુધ નામે પુત્ર થયો. હવે તો પરાક્રમી રાજા શાંતિનાથ વિજય કરવા માટે મેદાને પડ્યા, પણ જ્યાં ગયા ત્યાં બધા તેમની આજ્ઞા સ્વીકારી રહ્યા.
ખરેખર શાંતિનાથ ચક્રવર્તી રાજા બન્યા. છ ખંડ સાધી પૃથ્વીના સ્વામી બન્યા. રિદ્ધિ-સિદ્ધિનો હવે શો તૂટો હોય ? પણ એ તો સંસારને માયાનગરી માનતા હતા !
એક દિવસ એમણે સર્વસ્વનું દાન કર્યું, સર્વસ્વનો ત્યાગ કર્યો, ને અનગાર બની ચાલી નીકળ્યા. એક ચક્રવર્તી રાજા આવી રીતે ત્યાગ કરે, એ તો આશ્ચર્યનો વિષય બની રહે. હજાર રાજાઓ એમની પાછળ ચાલી નીકળ્યા.
તપ કરતાં, ધ્યાન ધરતાં, ઉપદેશ કરતાં પ્રભુ ઠેર ઠેર વિચરી રહ્યા. એક દિવસ પોતાના પુત્ર ચક્રાયુધને ઉપદેશ આપવા હસ્તિનાપુર પધાર્યા.
પુત્ર પણ અભ્યાસી હતો, એણે ઘણા પ્રશ્નો પૂછયા. ભગવાને યોગ્ય કથાઓ સાથે તેના ઉત્તરો આપ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org