SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ માટે આખી દુનિયા ખૂબ કષ્ટો વેઠે છે. તો ધર્મીએ શાશ્વતા સુખ માટે દુઃખ સમતાપૂર્વક સહવા જરૂર ઉદ્યમ કરવો જ જોઈએ. બધા જીવને સુખ જ જોઈએ છે. આત્મા સ્વરૂપથી અનંત સુખનો સ્વામિ જ છે. અને સાચી મહેનત કરે તો સુખ જરૂર વધતું જ જાય. પણ કરૂણતા એ છે કે સંસારી જીવા મોહ રાજાનું જ માને છે. ધર્મ રાજા એને અનંતાનંત સુખ આપવા તૈયાર બેઠા છે. પરંતુ એને ધર્મમાં શ્રદ્ધા જ નથી. જો કે આમ છતાં માનવભવમાં જીવને અનંત પુણ્ય મન, બુદ્ધિ, સંકલ્પ, નિર્ણય, આત્મસુખસાધના, વિરતિ વગેરે ઘણું બધું મળ્યું છે. આ દિશામાં બુદ્ધિ વાપરે તો ઘણો લાભ થાય. તો અનંત ભવે માનવને મળેલી આ બધી અદભૂત દિવ્ય શકિતઓનો સદુપયોગ માનવ કરે તો ભવોભવ સુખશાંતિ એના વધતા જ જાય !!! જગતના જીવો અને આપણે અનાદિ કાળથી મોહનું જ માનતા હતા. તેથી દુઃખો વધારતા જ ગયા. હવે દેવ-ગુરૂ-ધર્મના અનંત પ્રભાવને જાણી, શ્રદ્ધા લાવી, સાચા હૃદયથી એમના શરણે જઈ એમની હિતકર વાતોને આપણા જીવનમાં મન, વચન, કાયાથી યથાશક્તિ આદરવાનો નિશ્ચય કરવો ખૂબ જરૂરી છે. ખંધક મુનિ વગેરેના શાસ્ત્રીય દષ્ટાંતોથી સમતાના સુંદર ફળની આપણને જરૂર શ્રદ્ધા થાય. બનેવી રાજાએ જીવતા ચામડી ઉતારવા સેવક મોકલ્યા ત્યારે મુનિરાજશ્રી શાસ્ત્ર દષ્ટિએ વિચારે છે. સમતા લાવવા તાત્વિક વિચારણા કરે છે. આત્માને સમજાવે છે કે દુઃખ રાજસેવક નહીં, મારા કર્મ આપે છે. સેવક તો મારા દુષ્ટ અનંત કર્મ ખપાવશે. તેથી એ તો ખૂબ જ ઉપકારી છે. હે મન ! આ બધું સમજી તું સમતા રાખજે. સંસારીઓ આવા દુઃખમાં આર્ત, રૌદ્રધ્યાન કરે. ખંધકજીએ ધર્મ ધ્યાન અને સમતાથી મોક્ષ મેળવ્યો. (૪૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy