SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ તેથી જ્ઞાનીઓ કહે છે કે આત્મિક સુખો મેળવવા સાધુએ પરિષહો વેઠવા, દુઃખો સહવા. શ્રાવકો પણ કર્મ ખપાવી આત્મસુખો મેળવવા તપ, ત્યાગ, શ્રાવકના ધર્મકર્તવ્યોની સાધના વગેરે કરે છે. સાંસારિક સુખો માટે સંસારી જીવો સેંકડો દુઃખો વેઠે જ છે. તેમ ધર્મી આત્મસુખો મેળવવા તકલીફો હસતા સહે. શ્રી તીર્થંકરો વગેરે આત્માર્થી મહાપુરુષોએ આ જ કારણે બેસુમાર કષ્ટો મસ્તીથી સહ્યા. સહન કરવાના ફાયદા સમજાય તો ધર્મી આફતમાં સમતા લાવવા મથે. એક વિચારણા કરો કે વડાપ્રધાનને વિરોધ પક્ષની ટીકાઓ, છાપાની નિંદા, લોકોની ગાળો વગેરે ઘણા દુ:ખ છે. આ દુઃખોથી બચવા વડા પ્રધાન સત્તા છોડી દે? ના છોડે. કારણ? સત્તાને કારણે અનેક ફાયદા તે જાણે છે. એમ ધર્મ કરતાં ઓછી વત્તી તકલીફો આવશે. શું કરવું? ધર્મ છોડી દેવો? ના. કારણકે ધર્મથી જે આત્મિક અનેકગણા સુખ ભવોભવ મળે છે એની સામે દુઃખો સાવ વામણા છે. આપણને જે જૈન ધર્મ મળ્યો છે એ ખૂબ ખૂબ ઊંચી ચીજ છે. જૈન ધર્મની સર્વશ્રેષ્ઠતા જાણી લેવી જોઈએ. આ ધર્મ એટલો મહાન છે કે ખૂબ નાનો માણસ પણ જૈન ધર્મ થોડો પણ આરાધે તો શાલિભદ્ર વગેરેની જેમ તેને ખૂબ ઊંચા ફળો જરૂર મળે જ. ભવોભવ ઘણા સુંદર સુખ, શાંતિ તે મેળવી આપે. મોહ એવો દુષ્ટ છે કે સાધના કરી માનવભવ જેવી ઊંચી વસ્તુ જે સારા જીવે મેળવી એની પાસે ખરાબ કામ કરાવી દીર્ઘ કાળ સુધી પાછી અનેક દુઃખોની ઝડી વરસાવે! આ બધું સારી રીતે વિચારી આત્મહિત માટે દરેક જૈને જ્ઞાનદૃષ્ટિથી દુ:ખોમાં સમતા લાવવા સતત મહેનત કરવા જેવી છે. દુ:ખમાં પ્રસન્નતા કેવી રીતે મેળવવી એ વિષે કેટલીક વાતો વિચારી. હવે મહત્ત્વની વાત કરવી છે. લગભગ દરેક Jain Education International ૪૫ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy