SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વધે છે. મન સ્વસ્થ રહે. આ જોઈને બીજાઓ પણ સમતા મેળવવા પ્રયત્ન કરે. રોગો, ડીપ્રેશન, ટેન્શન વગેરે ન થાય. તિર્યંચ વગેરે ભવમાં મોહાધીનતાને કારણે સમતા વગેરે મુશ્કેલ છે. માનવને તો પુણ્યથી બુદ્ધિ, મન, જ્ઞાન વગેરે ઘણું મળ્યું છે. તેથી અનેક ફાયદા કરનારી સમતા લાવવા ખૂબ પ્રયત્ન કરવા જરૂરી છે. અનિલ અંબાણી વગેરે અતિ પુણ્યને કારણે ઉદ્યોગો વિસ્તારી લોકમાં સમૃદ્ધિ વધારતા જાય છે. તેમ ધર્મીએ અનંત પુણ્યે જ્ઞાન વગેરે મળ્યું છે તેને સંપૂર્ણ સફળ બનાવવા પૂરા પ્રયત્નો કરવા જ જોઈએ. " શ્રી ‘દશવૈકાલિક સૂત્ર' નામના આગમમાં ચૌદ પૂર્વધર શ્રી શય્યભવસૂરીશ્વરજી મ.સા. સુંદર સલાહ આપે છે, ‘...વેહવુ:સ્તું મહાનં ' એનો અર્થ એ છે કે હે સાધુ ! મોહને પરવશ તેં અનાદિ કાળથી અનંત કર્મ બાંધ્યા છે. તેના ઉદયકાળે દુઃખો આવે જ. તેથી સાધુ સમજે કે કર્મનો નાશ થાય તો દુઃખો ન આવે. આ વિચારી કર્મનાશ કરવા દુઃખોને ઉભા કરી સમતાથી સહે. શાસ્ત્રો કહે છે કે સાધકે પરિષહ ઉભા કરી વેઠવા. ઠંડી, ગરમી વગેરે સામે ચાલીને સહવા. તેથી ઘણા કર્મો નાશ પામે છે. તેથી ભાવિમાં દુ:ખ આવતા નથી. આત્મગુણો પ્રગટ થાય છે. ભયંકર લાગતા દુઃખો હકીકતમાં ભદ્રંકર છે ! એન્જીનીયર બનવા માટે ઘણા કષ્ટ સહન કરવા જ પડે છે. પણ બધા તે દુઃખોને સુખદ માને જ છે ને? આજના ચિંતકોએ પણ દુ:ખને વરદાન રૂપ માન્યા છે. દેહને જેટલા વધુ કષ્ટ આપો, આત્મા એટલો વધુ પવિત્ર બનતો જાય ! હિતબુદ્ધિથી જ્ઞાનીઓએ કહેલી આ સુંદર વાતને સુખાર્થી સાધકે ખૂબ વિચારી અમલમાં મૂકવા જેવી છે. સંસાર માટે અનાદિકાળથી આપણે અનંતા દુ:ખો સહીએ જ છીએ. આ હિતશિક્ષા માનીને ધર્મપ્રેમી આપણે હવે દુઃખો સહેવા જ જોઈએ. સંસારના સુખ Jain Education International ૪૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy