SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ફળ ૧૦૦% મળે જ છે. વળી સાંસારિક સુખ મલે તો પણ તે નાશવંત છે અને પરંપરાએ અનેકગણા દુઃખ આપે છે. જ્યારે ધર્મથી દીર્ઘકાળ સુધી ભવોભવ ઊંચા સુખ મળે ! અને દુઃખ ઘટતા જાય. આ બધુ ખૂબ વિચારી દરેક જૈને દઢ નિર્ણય કરવો જોઈએ કે આત્મા માટે શક્તિ પૂરી વાપરીને બધા દુઃખ સમતાથી યથાશક્તિ સહન કરીશ જ. સાચા જ્ઞાનના ઘણા ઊમદા ફળ છે. આત્મજ્ઞાની દુઃખોમાં ય હસતો હોય છે ! જ્યારે અજ્ઞાની મોહપરવશ સંસારીઓ અઢળક સુખમાં ય રડતા જ હોય છે. શાસ્ત્રજ્ઞાનના બળે જ બંધક મુનિ વગેરે અનંત જીવોએ ભયંકર દુઃખોમાં ય સમતા સાધી ! ઉપસર્ગો આવ્યા ત્યારે અનંતા કર્મોના નાશની મહાન તક આવી ગઈ છે એ મહાત્મા સમજી ગયા અને જ્ઞાનદષ્ટિથી મનને વશ કરી આત્મહિત સાધ્યું ! દરેક આત્માર્થીએ આફતમાં સમતા લાવી આત્માનું હિત સાધી લેવું જોઈએ. દરેક વિદ્યાર્થીને પૂરી ખબર છે કે પરીક્ષાની માથાંઝીક છે જ. દરેક માનવીને પાકો ખ્યાલ છે કે આજીવિકા મેળવવા નોકરી કે ધંધાની બબાલ માથે ઝીંકાયેલી જ છે. તેમ દરેક જૈનને એ સમજ હોવી જ જોઈએ કે દરેક માનવીને દુઃખ ક્યારેક આવે જ છે. પરીક્ષા આપવાની છે જ એ જાણી વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરી સંસારી સુખ મેળવે છે. દુઃખો આવવાના જ છે એ સમજી લઈ દરેક આત્માર્થીએ સહનશીલતા વધારવા મથવું જોઈએ. આ દુઃખનું તત્ત્વજ્ઞાન ઊંડાણથી ખૂબ વિચારી દરેક માનવે પોતાના સુખ માટે દુઃખોને સમતાપૂર્વક સહન કરવા તૈયાર થવું જોઈએ. બધા દુઃખ સહન ન જ થાય તો શક્તિ હોય એટલા તો સહન કરવા. એથી નીચે પ્રમાણે ઘણા લાભ થાય છે. નિર્જરા, પુણ્યબંધ, સમતા ઉપરાંત સહનશક્તિ ૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005441
Book TitleJain Dharmni Samaj Part 01 to 03
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy