________________
જૈન ધર્મઃ વારસો અને વૈભવ વિસ્તરેલાં છે. બધા તીર્થકરોની કેટલીય પ્રાચીન મૂર્તિઓ આજે પણ મંદિરોમાં પૂજાઈ રહી છે. જૈન તીર્થક્ષેત્રોમાં આવેલાં પ્રાચીન મંદિરોમાં તીર્થકરોની પ્રતિમાઓ પવિત્રતા અને વીતરાગતાનું પ્રતિબિંબ છે. બિહારમાં સમેતશિખર અને પાવાપુરી; દિલ્હીની નજીક હસ્તિનાપુર; ગુજરાતમાં શત્રુંજય, તારંગા, શંખેશ્વર, ગિરનાર; રાજસ્થાનમાં આબુ–દેલવાડા, રાણકપુર, નાકોડા પાર્શ્વનાથ, કેશરિયાજી, જેસલમેર; કર્ણાટકમાં શ્રવણબેલગોડા, હલેબીડ, હમ્પી, બેલેરી; મધ્યપ્રદેશમાં દેવગઢ, ખજૂરાહો, નૈનાગિરિ, ખંડારગિરિ, ચંદેરી, સોનાગિરિ, કુંડલપુર; મહારાષ્ટ્રમાં ઇલોરાની ગુફાઓ; ઓરિસામાં ખારવેલ મંદિર વગેરે ઉત્કૃષ્ટ જૈન કલાનાં પ્રતીકો છે. ચોવીસ તીર્થંકરની મૂર્તિઓ જૈનદર્શનના અપરિગ્રહ, અહિંસા અને જીવદયાના સિદ્ધાંતોની સાક્ષાત પ્રતિમાઓ છે. જૈન તીર્થોએ તીર્થંકર પરંપરા જીવંત રાખી છે. એ જૈન ધર્મને માટે ઊર્જાભર્યો પ્રેરણાસ્ત્રોત છે. કેટલીય ખંડિત મૂર્તિઓ દેશ-પરદેશનાં સંગ્રહાલયોમાં જોવા મળે છે. ઇંગ્લેન્ડમાં ખાસ કરીને લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં તથા જર્મનીમાં બર્લિનના ડાહલેમ મ્યુઝિયમોમાં આનો બહુમૂલ્ય સંગ્રહ છે.
20
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org